ચાંદી 20,000 સસ્તું, સોનું 4,000 ઘટ્યું; શું અચાનક ઘટાડા પાછળ ટ્રમ્પ કનેક્શન છે?

સોના અને ચાંદીના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા હતા, જે રોજ જોરદાર વધારા સાથે નવી ટોચ પર પહોંચી રહ્યા હતા. જોકે, ગુરુવારે, અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીમાં ઘટાડો થયો. ફ્યૂચર્સ ટ્રેડિંગની શરૂઆતમાં, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ લગભગ 20,000 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. સોના અને ચાંદીના ભાવમાં આ અચાનક ઘટાડા પાછળ ટ્રમ્પ કનેક્શન પણ માની શકાય. ચાલો જાણીએ કેવી રીતે.

ચાલો પહેલા વાતા કરીએ MCX પર ચાંદીના ભાવમાં ઘટાડાને લઈને. બુધવારે, 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ 3,25,602 રૂપિયા પર ઝડપી ગતિએ બંધ થયો. જોકે, ગુરુવારે જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગની શરૂઆત થઈ, તો તે ગગડતા અચાનક 3,25,753 આવી ગયું. આ હિસાબે જોઇએ તો, એક જ ઝટકામાં 1 કિલો ચાંદી 19,849 સસ્તી થઈ ગઈ.

gold-silver
ndtv.com

જ્યાં એક તરફ ચાંદીના ભાવમાં ઘટાડો થયો, તો સોનું પણ જોત જોતામાં વિખેરાતું ગયું. છેલ્લા 3 દિવસથી, તેમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો, જે સતત નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બુધવારે, 5 ફેબ્રુઆરીએ એક્સપાયરીવાળા સોનાના વાયદા ભાવ 1,52,862 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા. જોકે, ગુરુવારે, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ઘટીને 1,48,777 રૂપિયા પર આવી ગયો. એટલે કે સોનું પ્રતિ 10 ગ્રામ 4085 રૂપિયા સસ્તું થઇ ગયું.

હવે, સોના અને ચાંદીના ભાવમાં આ અચાનક ઘટાડા પાછળના કારણોની વાત  કરીએ તો, આ ઘટાડાનું સૌથી મોટું કનેક્શન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જોડાયેલું હોવાનું જણાય છે. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી, ટ્રમ્પ વેનેઝુએલા, ઈરાન અને બાદ ગ્રીનલેન્ડ અંગે યુરોપ પર સતત ટેરિફ લગાવવાની વાત કહી રહ્યા છે અને ટેરિફની ચીમકી આપી રહ્યા છે.

ટ્રમ્પના આ પગલાંથી વૈશ્વિક તણાવ વધ્યો હતો, અને રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત સ્થળ તરીકે સોના અને ચાંદી તરફ વળવા લાગ્યા હતા. માંગમાં વધારો થવાને કારણે બંને કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો. પરંતુ, ટ્રમ્પે હવે આ તણાવ ઓછો કરે તેવા નિવેદનો આપ્યા છે, અને તેના કારણે સોના અને ચાંદીમાં અચાનક ઘટાડો થયો છે.

trump
bbc.com

ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ અંગે એક નવું નિવેદન આપ્યું છે, જે તાજેતરના દિવસોમાં ટેરિફ ચીમકીથી વાધેલા તણાવને ઓછું કરનારું હોય તેવું લાગે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગ્રીનલેન્ડ પર એક કરાર થશે, જે અમેરિકા અને NATO બંનેને સંતોષશે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ગ્રીનલેન્ડ પર કબજાની કાર્યવાહીથી અમેરિકામાં યુરોપિયન દેશોના રોકાણ પર નકારાત્મક અસર પડી શકે છે.

ન માત્ર ગ્રીનલેન્ડને લઈને, પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિએ સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેમના સંબોધન બાદ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સાથેના અમેરિકાના ટ્રેડ ડીલની પણ ચર્ચા કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખૂબ સન્માન છે, તેઓ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. અને મારા મિત્ર છે. અમારી વચ્ચે શાનદાર ટ્રેડ ડીલ થવા જઇ રહી છે. તેની અસર શેરબજાર પર પણ જોવા મળી અને સોના-ચાંદીના ભાવ પર પણ જોવા મળી.

About The Author

Related Posts

Top News

કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બુધવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના અકાળ અવસાનથી મહારાષ્ટ્રના સમગ્ર રાજનીતિ હચમચી ગઇ છે....
Politics 
કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય...
Gujarat 
માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા

અમદાવાદ (ગુજરાત), 29 જાન્યુઆરી: ગુડ ગેમ, દુનિયાનો પહેલો લાઈવ ગ્લોબલ ગેમિંગ રિયાલિટી શો, જે ભારતના પહેલા ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધમાં...
Gujarat 
સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા

ચાંદીમાં 3 દિવસમાં રૂ. 48000નો વધારો! શું ખરેખર પરપોટો ફૂટવાનો છે? જાણો આ પડદા પાછળનો ખરો ખેલ શું છે

સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનું ચાલુ છે. આ કિંમતી ધાતુઓ દરરોજ નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. આનો અંદાજ...
Business 
ચાંદીમાં 3 દિવસમાં રૂ. 48000નો વધારો! શું ખરેખર પરપોટો ફૂટવાનો છે? જાણો આ પડદા પાછળનો ખરો ખેલ શું છે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.