ભારત અને EU વચ્ચે થઈ ગઈ સુપર ડીલ, ટ્રમ્પના ઇરાદાઓને મોટો ઝટકો

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-EU ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ડીલને મધર ઓફ ડીલ કહેવામાં આવી છે. તે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોના સફળ પરિણામનું પ્રતિક છે. ભારત અને EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર વાટાઘાટો 2007માં શરૂ થઈ હતી અને 2022માં ફરી શરૂ કરવામાં આવી હતી. આ એગ્રીમેન્ટ દ્વિપક્ષીય ટ્રેડ અને રોકાણ સંબંધોને વેગ આપશે અને સહિયારી સમૃદ્ધિ લાવશે.

Mother-of-all-deals4
indiatoday.in

ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, EU અને ભારત વચ્ચે એક મોટી ડીલ થયો છે. આ ડીલ ભારત અને યુરોપના લોકો માટે મોટી તકો લાવશે. તે વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે.  આ ડીલ વૈશ્વિક GDPના 25 ટકા અને ગ્લોબલ ટ્રેડનો 1/3 હિસ્સો છે. આ ડીલ ભારત અને EU બંનેની વધતી જતી આર્થિક તાકાત અને વૈશ્વિક પ્રાસંગિકતાને દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે આ ડીલ સહિયારા લોકશાહી મૂલ્યોને મજબૂત કરે છે. વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ ડીલ ઉદ્યોગ માટે ફાયદાકારક રહેશે. હું આ ક્ષેત્રમાં મારા સાથીદારોને પણ અભિનંદન આપું છું. આ ડીલ તમારા માટે ખૂબ મદદરૂપ થશે.

ઉત્પાદન અને સેવા ક્ષેત્રો પર પડશે અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ટ્રેડ ડીલની દેશમાં ઉત્પાદન અને સેવાઓ બંને પર સકારાત્મક અસર પડશે. મિત્રો, આ ટ્રેડ ડીલ ન માત્ર ભારતમાં ઉત્પાદનને મજબૂત બનાવશે, પરંતુ સેવા ક્ષેત્રના વધુ વિસ્તરણ માટે પણ માર્ગ મોકળો કરશે. વ્યાપક વૈશ્વિક અસર પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘FTA ભારતમાં વૈશ્વિક વિશ્વાસ વધારશે. આ ફ્રી ટ્રેડ ડીલ વિશ્વભરના વ્યવસાયો અને રોકાણકારો માટે ભારતમાં વૈશ્વિક વિશ્વાસને વધુ મજબૂત કરશે.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઈસ સેન્ટોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ત્રણેય નેતાઓની તસવીર ઘણું બધું કહી જાય છે. તસવીર બતાવી રહી છે કે આગામી સમયમાં યુરોપિયન દેશો અને ભારત વચ્ચેના સંબંધો કેટલા મજબૂત થવાના છે.

bride3
indianexpress.com

ભારત અને EUની વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ (FTA)ને ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ABC ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, અમેરિકન નાણામંત્રીએ સ્કોટ બેસન્ટે EU પર રશિયા-યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવી દીધો. બેસન્ટે કહ્યું હતું કે, યુરોપ ભારત પાસેથી રિફાઇન્ડ ઓઇલ પ્રોડક્ટ્સ ખરીદે છે, જે રશિયન તેલમાંથી બને છે, અને તેનો ઉપયોગ પોતાની વિરુદ્ધ યુદ્ધને ફાઇનાન્સ કરી કરી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.