અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOનો સમય, પ્રાઇસ બેંડ કશું નહીં બદલાશે: કંપનીનું નિવેદન

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝિસનાના Follow on Public Offer (FPO) પ્રાઇસ બેન્ડમાં કોઇ ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના નિર્ધારિત સમય અને પ્રાઇસ બેન્ડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.કંપનીએ FPOની સફળતાનો પણ આશાવાદ વ્યકત કર્યો છે.

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા પછી છેલ્લે બે ટ્રેડીંગ સેશનમાં અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરના ભાવમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. શુક્રવારે ટ્રેડીંગ સેશનમાં શેરનો ભાવ 18.52 ટકા તુટીને 2761.45 રૂપિયા પર આવી ગયો હતો.હવે  અદાણી ગ્રૂપે અદાણી એન્ટરપ્રાઇઝિસના જે  FPOની જાહેરાત કરેલી છે તેની પ્રાઇસ બેંડ31112થી 3276 રૂપિયા રાખવામાં આવેલી છે. એવા સંજોગોમાં જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર સ્ટોક માર્કેટમાં FPO પ્રાઇસ બેંડ કરતા નીચા ભાવે મળી રહ્યો છે, તો FPOમાં રોકાણ કોણ કરશે? બજારમાં એવી ચર્ચા હતી કે સંજોગોને ધ્યાનમાં રાખીને અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOના પ્રાઇસ બેંડમાં ઘટાડો કરવામાં આવી શકે. પરંતુ, કંપનીએ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું છે અને સ્પષ્ટ કહ્યું છે કે FPOમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી.

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO નિર્ધારિત સમય અને જાહેર કરાયેલી પ્રાઇસ બેંડ પર ચાલી રહ્યો છે. FPOના પ્રાઇસ બેંડમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. પ્રવક્તાએ કહ્યુ કે, બેંકરો, રોકાણકારો અને અમારા બધા સ્ટેક હોલ્ડર્સને અમારા FPO પર પુરો વિશ્વાસ છે. FPOની સફળતા અંગે અમે નચિંત છીએ.અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે હિંડનબર્ગનો રિપોર્ટ દુર્ભાવનાપૂર્ણ અને બનાવટી છે અને અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOને નિષ્ફળ બનાવવાના હેતુથી લાવવામાં આવ્યો છે.

રોકાણકારો માટે અદાણી એન્ટરપ્રાઇઝિસના FPOમાં રોકાણ કરવા માટે માત્ર બે દિવસ બચ્યા છે.FPOમાં અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે.મતલબ કે હજુ સોમવાર અને મંગળવાર સુધીમાં આ FPOમાં અરજી કરી શકો છો. શુક્રવાર સુધીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO માત્ર 1 ટકા જેટલો જ ભરાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેટા અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOના પહેલા દિવસે 4.55 કરોડ શેરની સામે 4.7 લાખ શેરોની જ બીડ ભરાઇ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસે FPOમાં એંકર રોકાણકારો માટે જે કોટા રિઝર્વ રાખ્યો હતો તે પુરેપુરો ભરાઇ ગયો છે. એંકર ઇન્વેસ્ટર્સ તરફથી કંપનીને 6,000 કરોડ રૂપિયા મળ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.