UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે, 2026ના રોજ OPEC છોડી દેશે. અબુ ધાબીએ OPEC+ છોડવાનો નિર્ણય લીધો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. બંને સંગઠનોમાંથી UAEના ખસી જવાથી વૈશ્વિક તેલ બજારનો આકાર બદલાઈ શકે છે.

1960માં, ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલાએ પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન (OPEC)ની રચના કરી. ત્યારપછી તેમાં વધુ દેશો જોડાતા ગયા, અને આ સંગઠન વૈશ્વિક તેલ પુરવઠા પર પ્રભુત્વ ધરાવતું ગયું. 2016માં, OPEC, રશિયાના નેતૃત્વમાં 10 બિન-OPEC દેશો સાથે મળીને, OPEC+ની રચના કરી, જે તેલ નિકાસ કરનારા દેશોનું એક મોટું સંગઠન છે.

UAE Exit OPEC
tv9hindi.com

UAEનું ખસી જવું OPECમાં ભંગાણ દર્શાવે છે. આ OPECના અસલી નેતા સાઉદી અરેબિયા માટે એક મોટા ફટકા સમાન છે. OPEC સભ્ય દેશો પર તેલ ઉત્પાદન મર્યાદા લાગુ પડેલી છે. આ દેશો ફક્ત નક્કી કરેલા ક્વોટામાં જ તેલનું ઉત્પાદન કરી શકે છે. OPEC છોડ્યા પછી, આ પ્રતિબંધ હવે UAE પર લાગુ પડશે નહીં. UAE ગમે તેટલું તેલ કાઢી શકે છે.

UAEની આ સ્વતંત્રતા OPEC માટે ખતરો ઉભો કરી શકે છે. 12 ટકા હિસ્સા સાથે, UAE જૂથના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંનો એક છે. તેલ ઉત્પાદન પરના નિયંત્રણો વૈશ્વિક તેલ પુરવઠા અને તેલના ભાવને નિયંત્રિત કરવા માટે હતા. હવે, UAE હવે આ પ્રતિબંધોને આધીન રહેશે નહીં, અને તે પોતાની મરજી પ્રમાણે તેલનું ઉત્પાદન કરી શકશે. આનાથી બજાર પર OPECનું નિયંત્રણ નબળું પડશે.

બ્રેન્ટ હજુ પણ 110 ડૉલર પ્રતિ બેરલથી ઉપર હોવાથી, બજાર OPECમાં આંતરિક ફેરફારો કરતાં પુરવઠા વિક્ષેપો પર વધુ પ્રતિક્રિયા આપી રહ્યું છે. UAEના ઉર્જા પ્રધાન સુહેલ અલ મઝરોઈએ કહ્યું કે, આ પગલું દેશને ઉત્પાદન નિર્ણયોમાં વધુ સુગમતા આપશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, UAEએ આ નિર્ણય પોતાની જાતે જ લીધો છે અને સાઉદી અરેબિયા સહિત અન્ય સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી નથી. તેમણે કહ્યું, 'ઉત્પાદન સ્તર સંબંધિત વર્તમાન અને ભવિષ્યની નીતિઓની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી આ એક નીતિગત નિર્ણય છે.'

UAE Exit OPEC
navbharattimes.indiatimes.com

આ પગલું OPECની અંદર લાંબા સમયથી ચાલી રહેલા તણાવને પ્રતિબિંબિત કરે છે. UAE તેની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે અને તેના તેલ ક્ષેત્રમાં ભારે રોકાણ કરી રહ્યું છે, પરંતુ OPECના ઉત્પાદન કાપને કારણે UAE ને તેની ઉત્પાદન અને નિકાસ ક્ષમતા મર્યાદિત કરવાની ફરજ પડી છે. હાલમાં, UAEની ક્ષમતા આશરે 48.5 લાખ બેરલ પ્રતિ દિવસ છે. 2027 સુધીમાં તેને વધારીને 50 લાખ બેરલ પ્રતિ દિવસ કરવાની યોજના છે. UAE માટે આ પ્રતિબંધો સહન કરવા વધુને વધુ મુશ્કેલ બની રહ્યા છે.

OPECમાંથી UAEના ખસી જવાથી કોઈ તાત્કાલિક અસર થશે નહીં. તેનો મોટાભાગનો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ બંધ છે. UAE ઉત્પાદન તો વધારી શકે છે, પરંતુ તે ઇચ્છે તો પણ વધુ તેલ સપ્લાય કરી શકતું નથી. જ્યારે OPEC દેશો અને UAE તેલ ઉત્પાદન પર ટકરાશે ત્યારે આના મોટા અને લાંબા ગાળાના પરિણામો આવી શકે છે.

UAE Exit OPEC
ndtv.in

ભારત એક મુખ્ય તેલ આયાતકાર છે અને તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેલ આયાત પર ભારે આધાર રાખે છે. OPECમાંથી UAEના બહાર નીકળવાથી ભારતના તેલ વિકલ્પોનો વિસ્તાર થશે. જો UAE વધુ ઉત્પાદન કરે છે, તો ભારત પાસે તેમની પાસેથી તેલ ખરીદવાનો વિકલ્પ રહેશે. જો બજારમાં વધુ તેલ આવે છે, તો કિંમતો ઘટી શકે છે. આનો અર્થ એ છે કે, ભારતને સસ્તા તેલનો ફાયદો પણ થઈ શકે છે. ભારત તેના લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નો પણ ખુબ મોટો હિસ્સો UAE પાસેથી ખરીદે છે.

તેલ ઉત્પાદક દેશો OPEC જેવા જૂથોના નિર્ણયોથી બંધાયેલા રહેવાને બદલે ઉત્પાદન અને આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. UAE પણ વૈશ્વિક પુરવઠામાં તેની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. UAE પાસે મોટી રોકાણ યોજનાઓ છે, જેમાં 2030 સુધીમાં 150 બિલિયન ડૉલર (આશરે રૂ. 14.21 લાખ કરોડ)ના કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.