બેન્કોમાં 78000 કરોડ રૂપિયા કોના? નથી કરી રહ્યું કોઈ ક્લેમ

On

ભારતીય બેન્કોમાં અનક્લેમ્ડ અમાઉન્ટ વધતી જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે અનક્લેમ અમાઉન્ટમાં 26 ટકાનો વધારો થયો છે. બેન્કોમાં 78,213 કરોડ રૂપિયા લાવારિસ છે. જેમના ક્લેમ માટે કોઈ નથી. માર્ચ 2023 સુધી ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં 62,225 કરોડ રૂપિયા જમા હતા. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2022માં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોની બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ 32,934 કરોડ રૂપિયા હતા, પરંતુ તેની તુલનામાં વર્ષ 2023ના અંતમાં આ રકમ વધીને 42,272 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ અવધિ દરમિયાન 28 ટકાનો વધારો થયો હતો. આ વખત RBIના વાર્ષિક રિપોર્ટ મુજબ અનક્લેમ્ડ અમાઉન્ટ 26 ટકા વધીને 78,213 કરોડ રૂપિયા થઈ ચૂક્યા છે.

શું હોય છે અનક્લેમ્ડ ડિપોઝિટ?

અંતે આ અનક્લેમ્ડ ડિપોઝિટ શું હોય છે? ઉલ્લેખનીય છે કે અલગ અલગ બેંક વાર્ષિક આધાર પર અકાઉન્ટ્સ રિવ્યૂ કરે છે. તેમાં એ જાણકારી મેળવવામાં આવે છે તો એવા કયા કયા બેંક અકાઉન્ટ છે, જેમાં કોઈ પ્રકારનું કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. જ્યારે કોઈ ડિપોઝિટર તરફથી છેલ્લા 10 વર્ષ દરમિયાન કોઈ અકાઉન્ટમાં ન તો ફંડ નાખવામાં આવે છે અને ન તો તેમાંથી કોઈ રકમ કાઢવામાં આવે છે, તો આ દરમિયાન અકાઉન્ટમાં પડેલી રકમને અનક્લેમ્ડ ડિપોઝિટ માનવામાં આવે છે. સાથે જ બેંક આ અકાઉન્ટને લઈને કસ્ટમર્સ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરે છે.

જે અકાઉન્ટમાં કોઈ દાવેદાર હોતા નથી, તો તેની જાણકારી બેન્કો તરફથી RBIને આપવામાં આવે છે, ત્યારબાદ એ અનક્લેમ્ડ ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF)માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ પ્રકારે ડિપોઝિટ્સને લઈને RBI અવેરનેસ કેમ્પેન ચલાવતી રહે છે, જેનાથી તેના કાયદાકીય હકદારોની જાણકારી મેળવી શકાય. આ પ્રકારે અનક્લેમ્ડ ડિપોઝિટ વધવાના ઘણા કારણ છે. તેમાંથી કેટલાકનો ઉલ્લેખ કરીએ તો ડિપોઝિટરનું મોત થઈ ગયું છે અને તેના નૉમિની દસ્તાવેજોમાં નોંધ ન હોવાથી આ રકમ એ અકાઉન્ટમાં જમા રકમના કોઈ દાવેદાર મળતા નથી.

RBI ઈચ્છે છે કે અનક્લેમ્ડ અમાઉન્ટમાં ઘટાડો થાય. RBIએ નિર્દેશ આપ્યા કે આ અમાઉન્ટ તેમાં યોગ્ય દાવેદારોને પરત મળવી જોઈએ, RBI દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બધી કોમર્શિયલ બેન્કો (ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો સહિત) અને બધી સહકારી બેન્કો પર 1 એપ્રિલ 2024થી લાગૂ છે. અનક્લેમ્ડ ડિપોઝિટના ક્લેમ માટે RBIએ UDGAM પોર્ટલ પણ લોન્ચ કરી હતી.

કેવી રીતે ક્લેમ કરાય અમાઉન્ટ?

જો તમારા પણ કોઈ સંબંધી કે ઘરની અમાઉન્ટ લાવારિસ બેંકમાં પડેલી છે તો RBIના UDGAM પોર્ટલના માધ્યમાંથી તેને ક્લેમ કરી શકો છે. આ પોર્ટલ પર જઈને સરળતાથી જમા રકમને ક્લેમ કરી શકાય છે. UDGAM પોર્ટલ પર પોતાને રજિસ્ટર્ડ કર્યા બાદ લૉગઇન કરીને અનક્લેમ્ડ અમાઉન્ટ ચેક કરી શકાય છે. સાથે જ ક્લેમ પણ કરી શકો છો કે પછી સંબંધિત બેંકમાં જઈને પણ સંપર્ક કરી શકો છો.

Related Posts

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.