RBIના ડૉલર-રૂપિયા એક્સચેન્જ હરાજીનો શું ફાયદો થશે? સમજો આખી વાત સરળ ભાષામાં

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વ્યવસ્થામાં લાંબા ગાળાની તરલતા લાવવા માટે 10 બિલિયન ડૉલરના ડૉલર-રૂપિયા સ્વેપ માટે હરાજી યોજી હતી. આ હરાજીની પતાવટ 4 અને 6 માર્ચના રોજ થશે. ત્રણ વર્ષના સમયગાળા માટે US ડૉલર અને ભારતીય રૂપિયાની ખરીદી/વેચાણ સ્વેપ હરાજીમાં 1.62 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જણાવ્યું હતું કે, તેને હરાજી દરમિયાન 244 બિડ મળી હતી, જેમાંથી 161 બિડ સ્વીકારવામાં આવી હતી, જેની કુલ રકમ 10.06 બિલિયન ડૉલર હતી.

આ અત્યાર સુધીની સૌથી મોટી ડૉલર-રૂપિયા સ્વેપ હરાજી હતી. બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતાની કટોકટી બની છે. આ પરિસ્થિતિ સુધારવા માટે, RBIએ ડૉલર-રૂપિયા સ્વેપ ઓક્શનનો આશરો લીધો છે. આ હરાજી એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રૂપિયો US ડૉલર સામે 87.46 પર ગગડી ગયો છે. આ સિસ્ટમ હેઠળ, બેંક RBIને US ડૉલર વેચશે અને સ્વેપ સમયગાળાના અંતે તેટલા જ US ડૉલર ખરીદવા માટે સંમત પણ થશે.

RBI-FX-Swap1

આ પહેલા જાન્યુઆરીની શરૂઆતમાં, RBIએ પાંચ અબજ ડૉલરની અદલા-બદલી સહિત અલગ અલગ માધ્યમો દ્વારા રૂ. 1.5 લાખ કરોડથી વધુની રકમ નાખવાની જાહેરાત કરી હતી. જાના સ્મોલ ફાઇનાન્સ બેંકના ટ્રેઝરી અને કેપિટલ માર્કેટ્સના વડા ગોપાલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, 'લાંબા ગાળાની અદલા-બદલીની હરાજીની ભારે માંગ છે, જે સિસ્ટમમાં કાયમી પ્રવાહિતા સુનિશ્ચિત કરશે. RBI લિક્વિડિટી ખાધને 1-1.5 ટ્રિલિયન રૂપિયા સુધી મર્યાદિત કરવા માંગે છે. આ માટે, ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO), ફોરેક્સ સ્વેપ અને જો જરૂર હોય તો, કેશ રિઝર્વ રેશિયો (CRR)નો ઉપયોગ કરી શકાય છે.

RBI-FX-Swap2

ભારતીય રૂપિયાને સ્થિર રાખવા માટે RBIએ તરલતાને ખાધમાં રાખવાની વ્યૂહરચના અપનાવી છે. રૂપિયા પર સતત નીચે તરફનું દબાણ છે, જેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય અસ્થિરતા, ભૂ-રાજકીય તણાવ અને US ટેરિફનો ભય છે. નિષ્ણાતોના મતે, જાન્યુઆરી 2025માં, તરલતાની ખાધ 3.3 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જે 14 વર્ષમાં સૌથી વધુ હતી. હાલમાં પણ, આ ખાધ 1.5 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે. રૂપિયાને ઘટતો અટકાવવા માટે RBI વારંવાર વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ કરી રહી છે.

RBI-FX-Swap

ફોરેક્સ સ્વેપ એ એક નાણાકીય વ્યવહાર છે, જેમાં RBI બેંકો પાસેથી રૂપિયા લઈને ડૉલર ખરીદે છે. આનાથી બજારમાં રૂપિયાની ઉપલબ્ધતા વધે છે, એટલે કે લિક્વિડિટી ઇન્ફ્યુઝન થાય છે. RBI નિશ્ચિત સમયગાળા પછી (આ કિસ્સામાં ત્રણ વર્ષ) આ ડૉલરનું ફરીથી વેચાણ કરે છે. આનાથી વિદેશી હૂંડિયામણ ભંડાર સંતુલિત રહે છે અને રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ થાય છે.

Related Posts

Top News

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.