RBIના ડૉલર-રૂપિયા એક્સચેન્જ હરાજીનો શું ફાયદો થશે? સમજો આખી વાત સરળ ભાષામાં

ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વ્યવસ્થામાં લાંબા ગાળાની તરલતા લાવવા માટે 10 બિલિયન ડૉલરના ડૉલર-રૂપિયા સ્વેપ માટે હરાજી યોજી હતી. આ હરાજીની પતાવટ 4 અને 6 માર્ચના રોજ થશે. ત્રણ વર્ષના સમયગાળા માટે US ડૉલર અને ભારતીય રૂપિયાની ખરીદી/વેચાણ સ્વેપ હરાજીમાં 1.62 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જણાવ્યું હતું કે, તેને હરાજી દરમિયાન 244 બિડ મળી હતી, જેમાંથી 161 બિડ સ્વીકારવામાં આવી હતી, જેની કુલ રકમ 10.06 બિલિયન ડૉલર હતી.

આ અત્યાર સુધીની સૌથી મોટી ડૉલર-રૂપિયા સ્વેપ હરાજી હતી. બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતાની કટોકટી બની છે. આ પરિસ્થિતિ સુધારવા માટે, RBIએ ડૉલર-રૂપિયા સ્વેપ ઓક્શનનો આશરો લીધો છે. આ હરાજી એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રૂપિયો US ડૉલર સામે 87.46 પર ગગડી ગયો છે. આ સિસ્ટમ હેઠળ, બેંક RBIને US ડૉલર વેચશે અને સ્વેપ સમયગાળાના અંતે તેટલા જ US ડૉલર ખરીદવા માટે સંમત પણ થશે.

RBI-FX-Swap1

આ પહેલા જાન્યુઆરીની શરૂઆતમાં, RBIએ પાંચ અબજ ડૉલરની અદલા-બદલી સહિત અલગ અલગ માધ્યમો દ્વારા રૂ. 1.5 લાખ કરોડથી વધુની રકમ નાખવાની જાહેરાત કરી હતી. જાના સ્મોલ ફાઇનાન્સ બેંકના ટ્રેઝરી અને કેપિટલ માર્કેટ્સના વડા ગોપાલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, 'લાંબા ગાળાની અદલા-બદલીની હરાજીની ભારે માંગ છે, જે સિસ્ટમમાં કાયમી પ્રવાહિતા સુનિશ્ચિત કરશે. RBI લિક્વિડિટી ખાધને 1-1.5 ટ્રિલિયન રૂપિયા સુધી મર્યાદિત કરવા માંગે છે. આ માટે, ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO), ફોરેક્સ સ્વેપ અને જો જરૂર હોય તો, કેશ રિઝર્વ રેશિયો (CRR)નો ઉપયોગ કરી શકાય છે.

RBI-FX-Swap2

ભારતીય રૂપિયાને સ્થિર રાખવા માટે RBIએ તરલતાને ખાધમાં રાખવાની વ્યૂહરચના અપનાવી છે. રૂપિયા પર સતત નીચે તરફનું દબાણ છે, જેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય અસ્થિરતા, ભૂ-રાજકીય તણાવ અને US ટેરિફનો ભય છે. નિષ્ણાતોના મતે, જાન્યુઆરી 2025માં, તરલતાની ખાધ 3.3 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જે 14 વર્ષમાં સૌથી વધુ હતી. હાલમાં પણ, આ ખાધ 1.5 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે. રૂપિયાને ઘટતો અટકાવવા માટે RBI વારંવાર વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ કરી રહી છે.

RBI-FX-Swap

ફોરેક્સ સ્વેપ એ એક નાણાકીય વ્યવહાર છે, જેમાં RBI બેંકો પાસેથી રૂપિયા લઈને ડૉલર ખરીદે છે. આનાથી બજારમાં રૂપિયાની ઉપલબ્ધતા વધે છે, એટલે કે લિક્વિડિટી ઇન્ફ્યુઝન થાય છે. RBI નિશ્ચિત સમયગાળા પછી (આ કિસ્સામાં ત્રણ વર્ષ) આ ડૉલરનું ફરીથી વેચાણ કરે છે. આનાથી વિદેશી હૂંડિયામણ ભંડાર સંતુલિત રહે છે અને રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવાનો પણ પ્રયાસ થાય છે.

About The Author

Related Posts

Top News

ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

દલિતો અને પછાત જાતિના મસીહા ગણાતા દિવગંત કાંશીરામની 15 માર્ચે જન્મ જયંતિ છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચ,...
Politics 
ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 19-03-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.