આપદામાં પણ જાનમાલ હાનિ થનાર અસરગ્રસ્ત ખેડૂતો પશુપાલકોને સહાય ચૂકવાશેઃમંત્રી

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સર્જાઈ શકનારી આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાની વહીવટી તંત્રની સજ્જતાની અંગેની માહિતી પ્રભારી મંત્રી રાઘવજી પટેલે આજે પત્રકારોને સરકીટ હાઉસ ખાતે આપી હતી.

મંત્રી રાઘવજી પટેલે ઉપસ્થિત પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ઓચિંતી આવનારી આ કુદરતી આપત્તિ થકી જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવાની સર્વે સરકારી વિભાગોના અધિકારીઓની જવાબદારી છે,

સરકારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ વગેરેને વિડિયો કોન્સફરન્સના માધ્યમથી સતત ગુજરાતની સંભવિત સ્થિતિ માટેના આયોજનની સમીક્ષા કરી રહયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓને જ મોકલી દેવામાં આવી રહયા છે. રાજકોટ જિલ્લામાં સતત ત્રણ દિવસથી સાંસદો, ધારાસભ્યો, કલેકટર દ્વારા કોઇ પણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવાની તમામ વ્યવસ્થાઓ થઇ ચૂકી છે. તાઉતે અને કોરોના જેવી આપત્તિઓમાં કામ કરી ચૂકેલા પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા પણ સતત અપડેટસ લઇ રહયા છે.

સરકારે જણાવ્યું કે, સંભવિત વાવાઝોડા અને વરસાદના પદલે જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલહાનિ થાય અને આવું થાય તો આપદામાંથી બચાવવા તથા જનજીવન પુનઃ ધબકતુ કરવા, માલ મિલકત- પશુ ધનની સહાય સત્વરે ચૂકવવા સહિતની વ્યવસ્થાઓ કરાઇ ચૂકી છે. તંત્રની સાથે સાથ સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠન પણ સમાંતરે કામ કરી રહયા છે. આવી સ્થિતિમાં લાઇટ પાણી અને ખોરાકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ તંત્ર સાબદુ થયુ છે. ધારાસભ્ય ઉદયભાઈ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટસ તૈયાર થયા છે.

સરકારે જણાવ્યું કે, અગાઉ પણ કમોસમી વરસાદથી 50 કરોડ જેવી સહાય ખેડૂતોને ચૂકવાઇ છે. બિપરજોયની આપદામાં પણ નુકશાનગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોને સહાય ચૂકવાશે. હાલમાં જિલ્લામાં બિપરજોયથી જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકાઓ વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના છે. તથા જેતપુરના મોટા ભાગના સાડી સહિતના કારખાનાઓમાં પતરાની છત છે, જે વાવાઝોડાથી ઉડીને જાનહાની કરે, તેવી સંભાવના છે. એટલે જેતપુરમાં પણ એન.ડી.આર.એફ.ની ટીમ મોકલી દેવાઇ છે. આ ઉપરાંત રાજકોટના કેટલાક આશ્રયસ્થળો(શેલ્ટર હોમસ)ની પણ મુલાકાત લઇને તેમાં દવા, પાણી, ખોરાક સહિતની પૂરતી સુવિધા છે કે નહી તે સુનિશ્ચિત કરાશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.