ગુજરાતના હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું રાજ્યમાં H3N2 વાયરસના કેટલા કેસ છે

રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ભારે પવન, માવઠું અને કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થતા રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિત અન્ય બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોના અને નવા વાયરસ H3N2, H3N1નું સંક્રમણ વધતા કેસમાં વધારો થયો છે. ત્યાર હવે આ મામલે વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી મુજબ, ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ નવા H3N2 વાયરસના કારણે એકપણ મોત નોંધાયુ નથી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં હાલ H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. આ વાયરસના કારણે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. તેમણે માહિતી આપી કે, રાજ્યમાં 1 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે, જેમાં માત્ર એક દર્દીનું મોત નિપજ્યું છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 10 માર્ચ, 2023 સુધીમાં રાજ્યમાં H1N1ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. તેમણે ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ ભાળ મેળવી તૈયારી કરવામાં આવી રહી છે. તમામ સરકારી હોસ્પિટલમાં દવાના સ્ટોક, તબીબોની હાજરી, વોર્ડની સંખ્યામાં વધારો સહિતના મુદ્દાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે આરોગ્ય મંત્રીએ સાવચેતીના ભાગરૂપે સ્વબચાવ માટે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે અને લોકોએ ખોટો ભય ફેલાવવાની જરૂર નથી તેમ જણાવ્યું છે. જણાવી દઈએ કે, ભાવનગરમાં ત્યાર સુધીમાં H3N2ના 6 કેસ જ્યારે મહેસાણાની એક યુવતી H3N2 ઈનફ્લુએન્ઝા પોઝિટિવ આવી હતી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.