અમદાવાદ: પત્નીથી કંટાળીને પતિએ કરી આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં લખ્યું-મમ્મી..

અમદાવાદમાં રહેતા એક યુવકે તેની દુકાનમાં આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકે આત્મહત્યા કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી છે. જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકે સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે, ‘આઇ લવ યુ મમ્મી, પપ્પા, બહેન. મમ્મી-પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ન કરતા. તમે એમ સમજજો કે તમારો દીકરો ફોરેન છે.’ માત્ર સાસરાવાળા લોકોના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી લેતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

શહેરના ઠક્કરનગરમાં રહેતા અરવિંદભાઇ વેકરીયા તેમના પત્ની અને દીકરા સાથે રહે છે અને નિવૃત્ત જીવન જીવે છે. 27 જાન્યુઆરીના રોજ સવારે તેમનો દીકરો સુભાષ નિકોલ આવેલી તેની દુકાન પર ગયો હતો અને બે વાગ્યાની આસપાસ ઘરે આવી જમીને પાછો દુકાને ગયો હતો, પરંતુ સાંજે મોડી રાત સુધી ઘરે પાછો ન આવ્યો. અરવિંદભાઇએ રાત્રે સુભાષને ફોન કર્યો, પરંતુ તે તે ફોન ઉપાડતો નહોતો. જેથી અરવિંદભાઇએ તેના નાનાભાઇ તથા અન્ય સંબંધીઓને જાણ કરી હતી, પરંતુ સુભાષ ઘરે આવ્યો નહોતો.

જેથી તે રાત્રે તેઓ સુભાષની દુકાને કામ કરતા ધ્રુવને ફોન કરી કહ્યું હતું કે, સુભાષ ફોન ઉપાડતો નથી તેનો ફોન દુકાનમાં તો નથી ને, તારી પાસે બીજી એક દુકાનની ચાવી છે તો દુકાને લઇને આવ કહીને અરવિંદભાઇ દુકાને જવા નીકળી ગયો હતો. ત્યારબાદ અરવિંદભાઇ અને ધ્રુવ દુકાને પહોંચ્યા હતા. જ્યાં ધ્રુવે દુકાનનું અડધું શટર ખોલીને જોયું અને શટર બંધ કરી અરવિંદભાઇને ઘરે જવા કહ્યું હતું અને તેમના અન્ય સગા સંબંધીને જાણ કરવા લાગ્યો હતો.

જેથી કંઇક અજુગતું બન્યું હોય તેવું અરવિંદભાઇને લાગ્યું હતું અને તેઓ તેમના ઘરે જતા રહ્યા હતા. રાત્રે અરવિંદભાઇના ભાઇએ તેમને જણાવ્યું કે, સુભાષે દુકાનમાં સિલિંગ ફેનના હુકમાં દોરડું બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે અને સુભાષના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં સુભાષે લખ્યું હતું કે મારા સાસરાના લોકોથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું. મારા ફેમિલીમાં કોઇ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે, મારા કોઇ ફેમિલીને હેરાન કરવા નહીં. આઇ લવ યુ મમ્મી-પપ્પા બહેન.

મમ્મી-પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ન કરતા. તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે તેમાં લખ્યો છે. ડાયરીમાં ન ખબર પડે તો જયેશભાઇ ને કહેજો. આઇ લવ યુ જયેશભાઇ. મારી આધ્યાનું ધ્યાન રાખજો. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી. બાય. મારાથી બીજી કંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો. આ લખાણને આધારે પોલીસને જાણ કરાતા સુભાષભાઇના પરિવારજનોએ સુભાષભાઇનું મોત તેની પત્ની પિનલના કારણે થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક સુભાષભાઇની પત્ની પીનલ લગ્નના છ મહિના બાદથી સુભાષ અને પરિવારજનો સાથે હળી મળીને રહેતી નહોતી અને કોઇ પણ વ્યક્તિ સાથે બરાબર વાતચીત કરતી નહોતી. પિનલ તેના પિયરમાં તેના માતા-પિતા સાથે વાતો કરતી અને તેના માતા-પિતા તેની ઉશ્કેરણી કરતા હતા. જેના કારણે તે સાસરે કોઇની સાથે વાતો કરતી નહોતી અને કોઇ પણ પ્રસંગોમાં આવતી નહોતી.

પિનલ વારંવાર તેના પિયરે જતી રહેતી હતી અને એક વખત સમાધાન કરી તેને સાસરાવાળા તેડી લાવ્યા હતા. પિનલ તેના પતિ સુભાષ સાથે વાતચીત પણ કરતી નહોતી કે ફોન પણ કરતી નહોતી અને પિયરમાં વધુ રહેતી હતી. સુભાષની દીકરી આધ્યા સાથે પણ કોઇ ને કોઇ બહાના કાઢી વાત કરાવતી નહોતી. જે બાબતે સમાધાન કરવા 29 જાન્યુઆરીના રોજ મીટિંગ રાખી હતી, પરંતુ તે પહેલા 27 જાન્યુઆરીએ સુભાષે આત્મહત્યા કરી લેતા સુભાષના પિતાએ સુભાષની પત્ની સહિતના સાસરીના લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.