ફિટનેસ સર્ટિફિકેટ વિના શા માટે ખોલ્યો મોરબીનો ઝૂલતો પૂલ?જયસુખ પટેલે આપ્યો આ જવાબ

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલ વિરુદ્ધ પોલીસ કોઈ નવુ તથ્ય નથી શોધી શકી. પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટે પટેલને કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સાત દિવસના રિમાન્ડમાં પોલીસને દુર્ઘટના સાથે સંકળાયેલી કોઈ નક્કર જાણકારી નથી મળી. પોલીસે જ્યારે જયસુખ પટેલને સવાલ કર્યો કે, તેણે ફિટનેસ ઓડિટ વિના કઈ રીતે બ્રિજ ખોલી દીધો? તેના જવાબમાં જયસુખ પટેલે કહ્યું કે, કોન્ટ્રાક્ટમાં એવી કોઈ શરત નહોતી. આ ઉપરાંત, જયસુખ પટેલે કહ્યું કે, મારી પાસે ફિટનેસ સર્ટિફિકેટની કોઈ ટેકનિકલ જાણકારી પણ નહોતી.

પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, જ્યારે એવુ પૂછવામાં આવ્યું કે તેણે વિક્ટોરિયન પીરિયડના પૂલનું સમારકામ દેવપ્રકાશ સોલ્યૂશન નામની એક મામૂલી અને નાની ફર્મને શા માટે આપી દીધુ? તેના જવાબમાં પટેલે કહ્યું કે, આ ફર્મ પહેલા પણ એકવાર પુલનું સમારકામ કરી ચુકી હતી. આથી, તેને ફરીવાર આ કામ સોંપવામાં આવ્યું. પોલીસ રિમાન્ડ અનુસાર, જયસુખ પટેલની પૂછપરછમાં એ પણ જાણવા ન મળ્યું કે દુર્ઘટના બાદ 90 દિવસ સુધી જયસુખ પટેલ ક્યાં ગાયબ હતો? આ દરમિયાન તેને સંતાવામાં કોણે મદદ કરી?

સુનાવણી દરમિયાન સરકારી વકીલે એ માંગ પણ રજૂ કરી હતી કે, પોલીસ જાણકારી મેળવે કે દુર્ઘટના બાદ ગાયબ જયસુખ પટેલને સંતાવામાં કોણે મદદ કરી. પોલીસે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે જયસુખ પટેલની રિમાન્ડ લીધી હતી. તો કોર્ટમાં 15 પોઈન્ટ્સ પર પૂછપરછ કરવાની વાત કહેવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ પોલીસને સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે 8 જાન્યુઆરીએ પૂરા થઈ ગયા. ત્યારબાદ જયસુખ પટેલને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. પોલીસની ફરીથી વધુ રિમાન્ડની માંગણી પર કોર્ટે પટેલને જેલમાં મોકલી આપ્યો.

પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં એ પણ જાણકારી મેળવી નથી શકી કે ટેન્ડર વિના ઓરેવા ગ્રુપને ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ કઈ રીતે મળી ગયો. શું તેમા કોઈ નગરપાલિકાના અધિકારી કે પછી કોઈ નેતાની સંડોવણી હતી? આ તમામ સવાલો છે જેનો જવાબ પોલીસ નથી શોધી શકી. 30 ઓક્ટોબરે મોરબીની મચ્છુ નદી પર સ્થિત 100 વર્ષ કરતા વધુ જુનો ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ મોરબી પોલીસે FIR દાખલ કરી હતી અને પુલના સંચાલન સાથે સંકળાયેલા ઓરેવા ગ્રુપના કેટલાક કર્મચારીઓ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચાર્જશીટ રજૂ કરતા પહેલા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલનું નામ પણ સામેલ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.