અમદાવાદ: ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ

એક સંયુક્ત ઓપરેશનમાં, સાયબર ક્રાઈમ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા પટાવાળાની બોટની વિભાગમાંથી નર્સિંગની ગુમ થયેલી ઉત્તરવહીના કેસમાં તેની કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય ડામોર, (ઉં26) જે GUમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમ્બર ટેકરા ગામમાંથી ઝડપાયો હતો.

જુલાઈમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ હતી. આક્ષેપ કરાયો હતો કે, ડામોરે બે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ સની ચૌધરી અને અમિત સિંહના કહેવાથી ઉત્તરવહીઓ ચોરી કરી હતી. જોકે, હાલ બંને આરોપી ફરાર છે. 10મી જુલાઈના રોજ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ વનસ્પતિ વિજ્ઞાન વિભાગના લોકર રૂમમાં સંયોજકની હાજરીમાં રાખવામાં આવી હતી. તેમાંથી 14 ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ હતી, જેના પછી ગુજરાત યુનિવર્સિટી પોલીસે 14 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા અને આ કેસમાં ચૌધરીની કથિત સંડોવણી વિશે જાણ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, ચૌધરીએ કથિત રીતે દરેક વિદ્યાર્થી પાસેથી તેમની ઉત્તરવહીઓ લોકર રૂમમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે 50,000 રૂપિયા લીધા હતા. સૂચના મુજબ, ડામોરે ઉત્તરવહીઓ ચોરી અને ચૌધરીને આપી હતી. ત્યારપછી બંનેએ ઉત્તરવહીમાં સાચા જવાબો લખ્યા અને ડામોરને પાછી આપી, જેણે તેણે લોકર રૂમમાં પાછી મૂકી દીધી હતી. રૂ. 50 હજારમાં સંજય ડામોરને પણ ભાગ મળવાનો હતો. પોલીસે 12 જુલાઈએ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2023ના આરોપો સાથે IPCની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરી, ગુનાહિત પેશકદમી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી હતી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.