દિલ્હીમાં દરરોજ કોરોનાથી થઈ રહ્યા છે 8-10 મોત, દેશ માટે આંકડા છે ડરામણા

દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ બે હજાર કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં દાખલની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હું દરેકને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું. આપણે કોવિડ-19 ના ચેપમાં વધારો જોઈ રહ્યા છીએ, સતત ઉચ્ચ સંક્રમણ દર અને લોકો ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ કે મહામારી હજી સમાપ્ત થઈ નથી અને હું બધાને અપીલ કરું છું કે લોકો કોરોના નિયમોનું સખ્તપણે પાલન કરે.

હેલ્થ એક્સપર્ટ ડૉ. સુનિલા ગર્ગે NDTV સાથે વાત કરતાં કહ્યું છે કે કોરોનાથી રિકવરી રેટ સારો છે, પરંતુ કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં 9,000 થી વધુ (કોવિડ) બેડ પર દર્દીઓ છે. હાલમાં, 2,129 ICU બેડમાંથી, 20 દર્દીઓ દાખલ છે જ્યારે 65 દર્દીઓ વેન્ટિલેશન પર છે.સાથે તેમણે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.

આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સોમવારે દિલ્હીમાં કોરોનાથી આઠ મૃત્યુ નોંધાયા હતા. જ્યારે 1,227 નવા કેસ નોંધાયા છે. 14 ઓગસ્ટે કોરોનાના 2162 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 5 દર્દીઓના મોત થયા હતા. તો, શનિવારે દિલ્હીમાં કોરોનાના 2031 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હવે દક્ષિણ દિલ્હીનું પ્રશાસન ખૂબ જ સતર્ક થઈ ગયું છે. જે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તેમની સામે વહીવટીતંત્ર હવે કડક પગલાં લેશે.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.