બાળકોને સોશિયલ મીડિયાનું એડિક્શન છોડાવવા USની આ સ્કૂલની જેમ વિચારવું પડશે

આજે સોશિયલ મીડિયા ફક્ત સામાન્ય વયસ્કો જ નહીં પણ નાના નાના છોકરાઓ અને કિશોરો સુધી પોતાની પહોંચ બનાવી ચૂક્યું છે. વૈશ્વિક સ્તર પર પેરેન્ટ્સ બાળકોની આ આદતથી હેરાન થઇ ચૂક્યા છે. એટલું જ નહીં, સ્કૂલ પણ બાળકોના સોશિયલ મીડિયામાં વધતા ઇન્ટરેસ્ટને ગંભીરતાથી લે છે.

અમેરિકાની સિએટલ પબ્લિક સ્કૂલે તો તેના પર સખત પગલા ઉઠાવતા કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓ જેવી કે, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસપુક, યુટ્યુબ અને સ્નેપચેટ પર કેસ કર્યો છે. સ્કૂલોનું કહેવું છે કે, સોશિયલ મીડિયાથી બાળકો અને કિશોરોનો માનસિક વિકાસ નથી થઇ રહ્યો. સ્કૂલે 91 પાનાંની પિટિશનમાં કહ્યું છે કે, આ કંપનીઓ પોતાનો વોચ ટાઇમ વધારવા માટે બાળકોને શિકાર બનાવી રહી છે.

હાલમાં જ થયેલા નવા અધ્યયનમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે. આ રિસર્ચમાં બાળકોની બ્રેન મેપિંગમાં જોવા મળ્યું કે, વર્ષ દર વર્ષ બાળકોના મગજ પર તેની અસર પડી રહી છે. જે ટીન એજના બાળકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને વારે વારે ચેક કરે છે, તેમના બ્રેનનો આકાર નાનો થઇ રહ્યો છે. અમેરિકાની યૂનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના ન્યૂરો સાયન્ટિસ્ટે તેના પર સ્ટડી કર્યું છે.

આ સ્ટડીમાં રિસર્ચર્સે સતત ત્રણ વર્ષો સુધી નોર્થ કેરોલિનાની અમુક સ્કૂલોના 170 વિદ્યાર્થીઓનો ડેટા લીધો છે. આ દરમિયાન રિસર્ચર્સે શરૂઆતથી જ દિવસમાં ઓછામાં ઓછું એક વખત અને 20થી વધારે વખત લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ વગેરેનો ઉપયોગ કરવાના આધાર પર બાળકોને વિભાજિત કર્યા છે.

આ દરમિયાન બાળકોનું બ્રેન મેપિંગ પણ કરવામાં આવ્યું છે જેમાં તપાસ વ્યવહારથી તેમના મગજના વિકાસ સંબંધી અલગ અલગ પરિવર્તન જોવા મળ્યા છે. સ્ટડીમાં જોવા મળ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇક, કોમેન્ટ, નોટિફિકેશન અને મેસેજ ચેક કરતા રહેવાની ઇચ્છા વિકસિત કરે છે. તેમાં 12થી 15 વર્ષોના કિશોરોનું મગજ ઓછું વિકસિત થઇ રહ્યું છે.

ભોપાલના જાણીતા મનોચિકિત્સક ડો. સત્યકાંત ત્રિવેદી કહે છે કે, હાલમાં જ કરેલા રિસર્ચમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકોમાં તણાવની સમસ્યા વધી છે. મોબાઇલની લતે બાળકોમાં એન્ક્ઝાઇટીથી લઇને ઇટિંગ ડિસઓર્ડરની સમસ્યા પેદા કરી છે. મોબાઇલ પર સમય વિતાવી રહેલા બાળકો માટે સ્કૂલોએ પણ સ્ટ્રીક્ટ થવું જોઇએ. આપણે સોશિયલ મીડિયાને લઇને સિએટલ પબ્લિક સ્કૂલ જેવા જ પગલા ઉઠવવા પડશે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.