શ્રી અરવિંદજીના વિચારો આધારિત–પ્રાચીન પરંપરાથી ઉદિત નવું ભારત વિષય પર શ્રી માતૃપ્રસાદજી સાથે AURO યુનિવર્સિટી ખાતે સત્ર

સુરત, 18 ઑગસ્ટ 2025 — AURO યુનિવર્સિટી, સુરત દ્વારા “પ્રાચીન પરંપરાથી ઉદિત નવું ભારત” વિષયક પ્રેરણાદાયી સંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી અરવિંદ આશ્રમ, પોન્ડિચેરીના શ્રી માતૃપ્રસાદજીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે ચર્ચા કરી. શ્રી અરવિંદજીના દ્રષ્ટિકોણ પરથી તેમણે ભારતના શાશ્વત આધ્યાત્મિક જ્ઞાન દ્વારા રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

61

શ્રી માતૃપ્રસાદજી વિદ્યાર્થીઓ સાથેની સંવાદસભામાં તેમને પ્રાચીન જ્ઞાન અને આધુનિક આશાઓને જોડવા પ્રેરિત કર્યા. તેમણે શિક્ષણ, આત્મઅન્વેષણ અને સમાજસેવાને જીવનના અંગભૂત ભાગ તરીકે સ્વીકારીને સર્વાંગી વિકાસના માર્ગે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ત્યારબાદ શિક્ષકો સાથે વિશિષ્ટ સંવાદમાં તેમણે ચેતનાના ઉચ્ચ આદર્શો તથા ભારતીય જ્ઞાન પરંપરાને શિક્ષણ પદ્ધતિમાં સમાવવા પ્રોત્સાહિત કર્યા.

62

કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના બે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રારંભો પણ થયા
• યુનિવર્સિટી કુલગીતનું અનાવરણ: AURO યુનિવર્સિટીના મૂલ્યો, આદર્શો અને સમૂહભાવનાનું પ્રતિબિંબ ધરાવતા કુલગીતનું અનાવરણ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું.
• AURO ધ્વનિ ન્યૂઝલેટર (અંક 3 અને 4)નું પ્રકાશન: કેમ્પસની વિવિધ પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને અભિવ્યક્તિઓ દર્શાવતું ન્યૂઝલેટર પ્રકાશિત થયું, જેમાં વિદ્યાર્થી તથા શિક્ષક સમુદાયના અવાજોને સ્થાન મળ્યું.

64

યુનિવર્સિટી નેતાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે AURO યુનિવર્સિટી શ્રી અરવિંદજીના આદર્શોને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં પ્રગતિશીલ બનાવવા સતત પ્રયત્નશીલ છે. કાર્યક્રમનો સમાપન આભારવિધી સાથે થયો, જેમાં શ્રી માતૃપ્રસાદજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને કાર્યક્રમને સફળ બનાવવા સૌના યોગદાનને કદરવામાં આવ્યું. આ યાદગાર પ્રસંગે AURO યુનિવર્સિટીનું પરંપરા અને આધુનિકતાના સુમેળ સાથે સર્વાંગી શિક્ષણ પ્રત્યેનું સમર્પણ ઉજાગર કર્યું, જે શ્રી અરવિંદજીના નવા ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

65

About The Author

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.