UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું. તેને ભેદભાવપૂર્ણ નિયમ ગણાવતા લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે. ચાલો જાણીએ આખરે UGCનો નવો નિયમ શું છે અને તેને બનાવવાની શું જરૂર પડી?

વાસ્તવમાં, રોહિત વેમુલા કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે નિયમો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, UGCએ નિયમોમાં સુધારો કર્યો. આ મહિને UGCUGC પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ, 2026 જાહેર કર્યું હતું. તેમાં OBCને સામેલ કરવા અને ઇક્વિટી કમિટીની રચનાને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે. આ અગાઉ ડ્રાફ્ટમાં જાતિ આધારિત ભેદભાવ સામે રક્ષણના દાયરામાં ફક્ત SC અને STનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે OBCને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

UGC
indiatoday.in

નવા નિયમો અનુસાર, દરેક કૉલેજ/યુનિવર્સિટીમાં એક 'ઇક્વિટી કમિટી'ની રચના કરવામાં આવશે. વિવાદ એ વાતને લઈને છે કે આ સમિતિમાં SC, ST, OBC, મહિલાઓ અને દિવ્યંગના પ્રતિનિધિઓ ફરજિયાત હોવા જોઇએ, પરંતુ સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વ માટે કોઈ ફરજિયાત જોગવાઈ નથી.

નવા નિયમો હેઠળ SC, ST અને OBC સભ્યો સાથે થનારા કોઈપણ અનુચિત વર્તનને ભેદભાવ ગણવામાં આવશે. સંસ્થાના વડાની અધ્યક્ષતામાં ઇક્વિટી કમિટી ભેદભાવની ફરિયાદોની તપાસ કરશે. ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર કાર્યવાહી થવી જોઈએ અને 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવો પડશે. સંસ્થાઓએ 24/7 હેલ્પલાઇન અને ઓનલાઇન ફરિયાદ સિસ્ટમ શરૂ કરવાની જરૂર પડશે. એવી પણ જોગવાઈ છે કે નિયમોનું પાલન ન કરવા પર યુનિવર્સિટીની ડિગ્રી આપવાની શક્તિ છીનવી શકાય છે અથવા ગ્રાન્ટ રોકી શકાય છે.

UGC1
thehindu.com

વિરોધ કરનારાઓનો તર્ક છે કે ઇક્વિટી કમિટીમાં સામાન્ય વર્ગના સભ્ય ન હોવાથી તપાસ નિષ્પક્ષ નહીં થઈ શકે. સાથે જ, એવો ભય પણ વ્યક્ત કર્યો કે, ખોટી ફરિયાદો દ્વારા આ નિયમોનો દુરુપયોગ થઈ શકે છે, કારણ કે ખોટી ફરિયાદો દાખલ કરનારાઓ સામે સજાની જોગવાઈ હટાવી દેવામાં આવી છે.

બીજી તરફ, સરકારનું કહેવું છે કે, ઉચ્ચ શિક્ષણમાં OBC વિદ્યાર્થીઓને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે, એટલે તેમને સુરક્ષા પૂરી પાડવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહની આગેવાની હેઠળની શિક્ષણ સંસદીય સમિતિએ આ સંદર્ભમાં ભલામણ કરી હતી. તે ભલામણના આધાર પર OBCને પણ આ દાયરામાં લાવવામાં આવ્યા છે.

About The Author

Top News

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.