ગુજરાતમાં આ જગ્યાએ આવશે ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી

ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસની શરૂઆત કરવાની છે. આની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 7 નવેમ્બરના રોજ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેયરે કેમ્પસની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં પોતપોતાના આંતરરાષ્ટ્રીય પરિસરને સ્થાપિત કરશે.

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓસ્ટ્રેલિયા સરકારના સાંસદ આદરણીય જેસન ક્લેરે સાથે આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે વોલોંગોંગ અને ડેકિન યુનિવર્સિટીઓના આગામી કેમ્પસ માટે સ્થળની મુલાકાત લીધી હતી. તેમને કેમ્પસના વિકાસ અને ભાવિ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ડેકિન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગના વાઇસ ચાન્સેલરોએ દેશ-થી-દેશ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં કોવિડ -19 રોગચાળા જેવા પડકારજનક સમયમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ભારતમાં કેમ્પસ ખોલવાની સાથે અભ્યાસક્રમોની સુનિશ્ચિત શરૂઆત સહિતની ભાવિ યોજનાઓ શેર કરી.

આ પ્રસંગે બોલતા ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થી અને શૈક્ષણિક બિરાદરોને નવા 'અરંભ' માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ઘરઆંગણે ભારતમાં અભ્યાસની સુવિધા આપશે અને એનઇપી 2020માં કલ્પના કરવામાં આવી હતી તે મુજબ વાઇબ્રન્ટ, વૈવિધ્યપૂર્ણ અને સર્વસમાવેશક શૈક્ષણિક વાતાવરણનું સર્જન પણ કરશે.

ધર્મેન્દ્ર પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, તકોની ભૂમિ ગિફ્ટ સિટીમાં આ બંને યુનિવર્સિટીઓનાં કેમ્પસને ખુલ્લું મૂકવું એ વિદ્યાર્થી સમુદાય માટે 'ભેટ' છે. તેમણે એનઇપી 2020 મારફતે ભારતનાં શિક્ષણમાં પરિવર્તન લાવવાનાં તેમનાં વિઝન અને પ્રયાસો માટે PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિશ્વનાં વિવિધ ભાગોનાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી આ પ્રકારનાં પ્રયાસો સાથે મળીને સહયોગ કરશે, શીખશે અને વિકાસ કરશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનકારી નીતિ 'ઇન્ટરનેશનલાઇઝેશન એટ હોમ' પર ભાર મૂકે છે, જેનો ઉદ્દેશ આપણા પોતાના દેશમાં એક વાઇબ્રન્ટ, વૈવિધ્યપૂર્ણ અને સર્વસમાવેશક શૈક્ષણિક વાતાવરણનું સર્જન કરવાનો છે.

બંને મંત્રીઓએ 'રિસર્ચ ડાયલોગઃ ન્યૂ હોરાઇઝન ઇન રિસર્ચ કોલાબોરેશન' સંમેલનને સંબોધન કર્યું હતું. કોન્ક્લેવનો ઉદ્દેશ એક સમૃદ્ધ સંશોધન ઇકોસિસ્ટમમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટેની નવીન તકોની ઓળખ કરવાનો હતો. આ સંમેલનમાં ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ, મુખ્ય ભારતીય ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાને 'રિસર્ચ ડાયલોગ'માં વક્તવ્ય આપ્યું હતું અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંશોધન જોડાણોને ગાઢ બનાવવા માટે નવી તકો ઊભી કરવા યુનિવર્સિટીના નેતાઓ અને સંશોધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમાજના વ્યાપક લાભ માટે સંશોધન એ પ્રાથમિકતાનું ક્ષેત્ર હોવું જોઈએ; તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ભારત બંને દેશો પારસ્પરિક સમૃદ્ધિ અને વૈશ્વિક સુખાકારી માટે સંશોધનને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે.

બંને મંત્રીઓએ ઔદ્યોગિક શૈક્ષણિક ભાગીદારી પર શિક્ષણવિદો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં શિક્ષણ-ઉદ્યોગ જોડાણોને મજબૂત કરવા, યુનિવર્સિટી ભાગીદારી મારફતે ઉદ્યોગોને લાભ, સંશોધન અને વિકાસ સહયોગ વગેરે પર ચર્ચા થઈ હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.