ગુજરાતની શાળા-કોલેજોમાં માર્ચ પછી થશે આટલા હજાર શિક્ષકોની નવી ભરતીઓ

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકોમાધ્યમિક અને ઉચ્ચાતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ્ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાશઓ સત્વચરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વંનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત બજેટ સત્ર પછી તૂર્ત જ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે જગ્યાઓની ભરતી થનાર છે તેમાં 3200 જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકોમાધ્યમિક તથા ઉચ્ચઉતર માધ્યમિક શિક્ષણના 8000 શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી  વિવિધ સંવર્ગની કુલ 2000 ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે. માર્ચ મહિના પછી કુલ 13200 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

આ અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષણમાં વધુ જગ્યાઓ ખાલી પડી છે તેથી સૌ પ્રથમ 3000થી વધુ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. અત્યારે સરકારી સ્કૂલોમાં નિવૃત્તિની મોસમ આવી છે. પ્રતિ વર્ષ 2500થી વધુ શિક્ષકો નિવૃત્ત થઇ રહ્યાં છે તેથી શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સ્કૂલો અને મહેકમ જોતાં રાજ્યમાં અત્યારે 20,000 થી વધુ વિદ્યા સહાયકોની જરૂર છે જે પૈકી માત્ર 3200ની ભરતી કરવામાં આવનાર છે.

ગુજરાતમાં છેલ્લે 2016માં 6316 ખાલી જગ્યાઓએ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી હતી, ત્યારબાદ ભરતી પ્રક્રિયા થઇ નહીં હોવાથી વધુ 8000 શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે. આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યા પછી રાજ્ય સરકારે ભરતીના નિયમોમાં સુધારો કરીને ટાઇમટેબલ ગોઠવ્યું છે. આ ભરતી પણ માર્ચ મહિના પછી થાય તેવી સંભાવના છે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ વધી રહી છે. 20 ટકા શિક્ષકો દર વર્ષે નિવૃત્ત થતાં હોઇ આ સંખ્યા વધે છે તેથી 2000 જેટલા સહાયક અધ્યાપકોની ભરતી માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતી પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સહાયકોની ભરતી સ્કૂલ નિયામક તેમજ અધ્યાપક સહાયકોની ભરતી ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે. ગુજરાતના શિક્ષણમાં ખરાબ દશા પ્રાથમિક શિક્ષણની છે. સ્કૂલોમાં બાળકોની સંખ્યાની સરખામણીએ શિક્ષકોની ઘટ વર્તાઇ રહી છે જ્યારે માધ્યમિક કક્ષાએ આચાર્યો અને પ્રાધ્યાપકોની ઘટ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે.

 
 
 

Related Posts

Top News

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત પોલીસના ઇતિહાસના અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ...
Opinion 
ભાવેશ રોજિયા: ગુજરાત પોલીસનું ગૌરવ, ગુનેગારો માટે સંકટ

દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

દક્ષિણ ગુજરાતના એક નાનકડા ટાઉન બિલીમોરામાં સામાન્ય પરિવારમાં ઉછરેલો એક છોકરો આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે. તેણે Chat.Com ...
Tech and Auto 
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું

'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...

જ્યારથી આમિર ખાને 'સિતારે જમીન પર' ફિલ્મ સાથે પાછા ફરવાની જાહેરાત કરી છે, ત્યારથી દર્શકો રાહ જોઈ રહ્યા છે...
Entertainment 
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.