આમીર ખાન ડિવોર્સ પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે..

આમીર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે ડિવોર્સ થવા છતાં તે પોતાની પત્નીઓની ખૂબ નજીક છે અને તેમને પૂરો સમય આપે છે. આમીર પ્રયત્ન કરે છે કે દર અઠવાડિયે તે પોતાની પત્ની રીના અને કિરણને મળે.

કરણ જોહરનો શો કોફી વીથ કરણ શરૂ થઈ ગયો છે. આ ટોક શો ના અત્યારસુધી ત્રણ એપિસોડ રીલિઝ થઈ ચુક્યા છે અને ચોથો રીલિઝ માટે તૈયાર છે. આ વખતે  શો માં આમીર ખાન અને કરીના કપૂર હાજરી આપવાના છે. શો માં આમીરના જીવનથી જોડાયેલા ઘણા રાઝ સામે આવવાના છે. સાથે જ કરીનાના જીવનને લઈને પણ વાતો સામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આમીર પોતાના લગ્નજીવનને લઈને પણ વાત કરવાના છે.

દર અઠવાડિયે પત્નીઓને મળવા જાય છે આમીર ખાન

બોલિવુડ અભિનેતા આમીર ખાન આ વખતે કોફી વીથ કરણમાં પોતાની પૂર્વ પત્નીઓ કિરણ અને રીનાની સાથે પોતાના સંબંધો વિશે વાત કરતા જોવા મળશે. શો માં તેણે કહ્યું છે કે તે બંનેની સાથે સંપર્કમાં છે અને તેમને મળતા પણ રહે છે. આમીર ખાને કહ્યું કે મારા મનમાં એ બંને માટે ઘણું સમ્માન છે. અમે લોકો હંમેશા એક પરિવાર જ રહીશું. તેણે એ પણ કહ્યું કે અમે બધા અઠવાડિયામાં એક વખત એકસાથે મળીએ છીએ, ભલે અમે કેટલા પણ વ્યસ્ત હોઈએ. એકબીજા માટે સાચી કાળજી, પ્રેમ અને સમ્માન છે.

આમીર ખાનનું લગ્નજીવન

તમને જણાવી દઈએ કે આમીર ખાનની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. ફિલ્મોમાં આવવા પહેલા જ આમીર ખાને રીના સાથે લગ્ન કરી લીધા હતા. સારી રીતે તાલમેળ ન મળ્યા પછી આમીર ખાને રીનાથી ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સ લીધા બાદ અભિનેતાએ વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 15 વર્ષ એક સાથે રહ્યાં પછી બંનેએ વર્ષ 2021 માં એકબીજાથી ડિવોર્સ લીધા. બંનેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે અને તે પોતાના દિકરા આઝાદ રાવ ખાનનો એકસાથે મળીને ઉછેર કરશે.  

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.