આદિપુરુષઃજલેગી ભી તેરે બાપ કી..હનુમાનજીના ડાયલોગ પર લોકો ગરમ, કહ્યું-ભગવાનથી ડરો

આદિપુરુષ ફિલ્મ થિએટરમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ વાયરલ થવા લાગી છે. ફિલ્મ જોનારા તેના ફાયદા અને ગેરફાયદા ગણાવી રહ્યા છે. હનુમાનના ડાયલોગ્સને લઈને જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે. રાવણના VFXની મજાક ઉડી રહી છે. કેટલાક રમુજી ટ્વિટ્સ પણ છે. ઘણા દર્શકોએ એમ પણ લખ્યું છે કે, ઓમ રાઉતની ફિલ્મ જોયા પછી રામાનંદ સાગર માટે તેમનું સન્માન વધી ગયું. કેટલાક દર્શકો એવા છે કે, જેઓ અનેક ખામીઓને અવગણીને પણ થિયેટરમાં રામકથાનો આનંદ માણી રહ્યા છે.

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરુષને ધમાકેદાર ઓપનિંગ મળી છે. આંધ્ર અને તેલંગાણામાં સવારે 4 વાગ્યાના શો હતા. સવારથી જ સિનેમાઘરોમાં પ્રેક્ષકોની ભીડ જોવા મળી રહી છે. અન્ય સ્થળોએ પણ ઘણા લોકો ટ્વિટ કરીને દાવો કરી રહ્યા છે કે, આદિપુરુષ ફિલ્મ બેક ટુ બેક જોઈ છે. આ દરમિયાન, ફિલ્મ જોનારા લોકોની કેટલીક ટ્વિટ્સે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

દર્શકોની સૌથી વધુ નારાજગી હનુમાનજીના ડાયલોગ્સ પર જોવા મળે છે. એક યુઝરે ટ્વીટ કર્યું છે કે, બજરંગબલી ડાયલોગઃ 'કપડા તેરે બાપ કા. તેલ તેરે બાપ કા. આગ ભી તેરે બાપ કી, તો જલેગી ભી તેરે બાપ કી.' આવા હલકા સંવાદો લખવામાં આવ્યા છે અને અપેક્ષા છે કે, આપણા યુવાનો આ રામાયણ જોવે. એક યુઝરે તેના પર કમેન્ટ કરી છે કે, 'આવી સ્થિતિમાં હનુમાનજી માટે પણ એક સીટ રિઝર્વ કરવામાં આવી છે. તેઓ આવા સંવાદો સાંભળવા આવશે. બોલિવૂડના લોકો, ભગવાનથી તો ડરો.'

બીજી ટિપ્પણી એ છે કે, આદિપુરુષમાં મધ્યાન્તર આટલો ખરાબ હોવાની અપેક્ષા નહોતી. સંવાદો ખુબ જ ભયંકર રીતે લખાયા છે. હનુમાનની પૂંછડી સળગાવીને માણસ કહે છે કે, કેમ તારી બળીને? હનુમાન-હવે તારા બાપની પણ બળશે. લંકામાં દરેક વ્યક્તિ એવું લાગે છે કે, જાણે દરેક પાસે 2023ના આધુનિક વાળંદની દુકાન હતી.

એક યુઝરે લખ્યું છે કે, આદિપુરુષના વિઝ્યુઅલ જોયા બાદ રામાનંદ સાગર માટે મારું સન્માન 100 ગણું વધી ગયું છે. 26 વર્ષ પહેલા, કોઈપણ ટેક્નોલોજી અને મર્યાદિત સંસાધનો વિના, તેમણે એવો જાદુ બનાવ્યો, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

પ્રભાસની મૂછ સાથેનો લુક ઘણા લોકોને પસંદ આવ્યો ન હતો. તેની સરખામણી જૂની ફિલ્મો અને સિરિયલોના રાવણ સાથે કરવામાં આવી છે. VFXને લઈને નકારાત્મક ટિપ્પણીઓ પણ દેખાઈ રહી છે. ખાસ કરીને રાવણના દસ માથાવાળો સીન ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.

તો બીજી તરફ ઘણા લોકોએ હનુમાનજીના દ્રશ્યોના વખાણ કર્યા છે. રામ સાથે બજરંગબલીની મુલાકાત, લંકા દહન, પૃષ્ઠભૂમિ સંગીત વગેરેની પ્રશંસા થઈ રહી છે. સાથે જ એક દર્શકે લખ્યું છે કે, કેટલીક ફિલ્મોને જજ ન કરવી જોઈએ પરંતુ વખાણ કરવા જોઈએ. સારી સ્ક્રીનપ્લે, મ્યુઝિકની સાથે તેમાં ઘણા રુંવાટા ઉભા થઇ જાય તેવા સીન છે. VFX હજુ કાચું પડે છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.