આદિપુરુષઃજલેગી ભી તેરે બાપ કી..હનુમાનજીના ડાયલોગ પર લોકો ગરમ, કહ્યું-ભગવાનથી ડરો

આદિપુરુષ ફિલ્મ થિએટરમાં આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ વાયરલ થવા લાગી છે. ફિલ્મ જોનારા તેના ફાયદા અને ગેરફાયદા ગણાવી રહ્યા છે. હનુમાનના ડાયલોગ્સને લઈને જબરદસ્ત ટ્રોલ થઈ રહી છે. રાવણના VFXની મજાક ઉડી રહી છે. કેટલાક રમુજી ટ્વિટ્સ પણ છે. ઘણા દર્શકોએ એમ પણ લખ્યું છે કે, ઓમ રાઉતની ફિલ્મ જોયા પછી રામાનંદ સાગર માટે તેમનું સન્માન વધી ગયું. કેટલાક દર્શકો એવા છે કે, જેઓ અનેક ખામીઓને અવગણીને પણ થિયેટરમાં રામકથાનો આનંદ માણી રહ્યા છે.

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરુષને ધમાકેદાર ઓપનિંગ મળી છે. આંધ્ર અને તેલંગાણામાં સવારે 4 વાગ્યાના શો હતા. સવારથી જ સિનેમાઘરોમાં પ્રેક્ષકોની ભીડ જોવા મળી રહી છે. અન્ય સ્થળોએ પણ ઘણા લોકો ટ્વિટ કરીને દાવો કરી રહ્યા છે કે, આદિપુરુષ ફિલ્મ બેક ટુ બેક જોઈ છે. આ દરમિયાન, ફિલ્મ જોનારા લોકોની કેટલીક ટ્વિટ્સે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

દર્શકોની સૌથી વધુ નારાજગી હનુમાનજીના ડાયલોગ્સ પર જોવા મળે છે. એક યુઝરે ટ્વીટ કર્યું છે કે, બજરંગબલી ડાયલોગઃ 'કપડા તેરે બાપ કા. તેલ તેરે બાપ કા. આગ ભી તેરે બાપ કી, તો જલેગી ભી તેરે બાપ કી.' આવા હલકા સંવાદો લખવામાં આવ્યા છે અને અપેક્ષા છે કે, આપણા યુવાનો આ રામાયણ જોવે. એક યુઝરે તેના પર કમેન્ટ કરી છે કે, 'આવી સ્થિતિમાં હનુમાનજી માટે પણ એક સીટ રિઝર્વ કરવામાં આવી છે. તેઓ આવા સંવાદો સાંભળવા આવશે. બોલિવૂડના લોકો, ભગવાનથી તો ડરો.'

બીજી ટિપ્પણી એ છે કે, આદિપુરુષમાં મધ્યાન્તર આટલો ખરાબ હોવાની અપેક્ષા નહોતી. સંવાદો ખુબ જ ભયંકર રીતે લખાયા છે. હનુમાનની પૂંછડી સળગાવીને માણસ કહે છે કે, કેમ તારી બળીને? હનુમાન-હવે તારા બાપની પણ બળશે. લંકામાં દરેક વ્યક્તિ એવું લાગે છે કે, જાણે દરેક પાસે 2023ના આધુનિક વાળંદની દુકાન હતી.

એક યુઝરે લખ્યું છે કે, આદિપુરુષના વિઝ્યુઅલ જોયા બાદ રામાનંદ સાગર માટે મારું સન્માન 100 ગણું વધી ગયું છે. 26 વર્ષ પહેલા, કોઈપણ ટેક્નોલોજી અને મર્યાદિત સંસાધનો વિના, તેમણે એવો જાદુ બનાવ્યો, જે આજ સુધી કોઈ કરી શક્યું નથી.

પ્રભાસની મૂછ સાથેનો લુક ઘણા લોકોને પસંદ આવ્યો ન હતો. તેની સરખામણી જૂની ફિલ્મો અને સિરિયલોના રાવણ સાથે કરવામાં આવી છે. VFXને લઈને નકારાત્મક ટિપ્પણીઓ પણ દેખાઈ રહી છે. ખાસ કરીને રાવણના દસ માથાવાળો સીન ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.

તો બીજી તરફ ઘણા લોકોએ હનુમાનજીના દ્રશ્યોના વખાણ કર્યા છે. રામ સાથે બજરંગબલીની મુલાકાત, લંકા દહન, પૃષ્ઠભૂમિ સંગીત વગેરેની પ્રશંસા થઈ રહી છે. સાથે જ એક દર્શકે લખ્યું છે કે, કેટલીક ફિલ્મોને જજ ન કરવી જોઈએ પરંતુ વખાણ કરવા જોઈએ. સારી સ્ક્રીનપ્લે, મ્યુઝિકની સાથે તેમાં ઘણા રુંવાટા ઉભા થઇ જાય તેવા સીન છે. VFX હજુ કાચું પડે છે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.