અક્ષય બોલ્યો- આ વસ્તુની જાહેરાત કરવી જિંદગીની સૌથી મોટી ભૂલ, કારણ પણ જણાવ્યું

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખેલાડી અક્ષય કુમારથી પણ જીવનમાં ભૂલો થઇ છે. જેમને તેઓ ખૂલીને અપનાવે છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અક્ષય કુમારે કરિયરમાં પોતાની આ ભૂલો પર વાત કરી, જેને લઇને તેને પોતાને રિયલાઇઝેશન થયું. આ કાર્યક્રમમાં અક્ષયે માત્ર એટલું જ નહીં, પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પર ખૂલીને વાત કરી. એન્કરે એક્ટરને કહ્યું કે, પુત્ર આરવ, પત્ની ટ્વિંકલના ફિલ્મ ક્રિટિક બનવાથી લઇને ફિલ્મો ફ્લોપ થવા સુધી, તમે જવાબ આપ્યો, પરંતુ હવે વાત કરીએ ભૂલોની.

તમે ક્યારેય પોતાના જીવનમાં ભૂલ કરી છે, જેને તમે વિચાર્યું કે આ મારાથી ભૂલ થઇ ગઇ અને તમે તેનો સ્વીકાર કર્યો હોય? સમય ગુમાવ્યા વિના અક્ષયને તે એલચીની એડ યાદ આવી જાય છે, જે તેણે એક પાન મસાલા કંપની માટે કરી હતી. તે કહે છે કે, હાં મેં ભૂલ કરી છે. મેં સ્વીકારી લીધું હતું. જેમાં મેં તે એલચીની એડ કરી હતી. તે મારાથી ભૂલ થઇ હતી. મેં સ્વીકાર કર્યો. એ રાત્રે મને ઊંઘ આવી રહી નહોતી તો મેં લખ્યું. પોતાના દિલની વાત લખી. મને લાગે છે કે દરેક વ્યક્તિ ભૂલ કરીને શીખે છે તો મેં શીખી લીધું હતું. મેં જ્યારે લખ્યું તો સુધરી ગયાની વાત હતી.

અક્ષય કુમારે જે માફીનામું ફેન્સ સાથે શેર કર્યું હતું, તેમાં તેણે લખ્યું હતું કે મને ઘણી ઑફર્સ આવે છે. મને ઘણી મોટી મોટી ગુટખા કંપનીની ઑફર્સ આવે છે કે, કરો અને અગણિત અમાઉન્ટ આપવા તૈયાર રહે છે, પરંતુ વાત તેની નથી. સ્વાસ્થ ભારત માટે હું આ કામ નહીં કરું. હું ખોટું કામ નહીં કરું. વર્ષ 2018માં આ વાત અક્ષયે જ કહી હતી કે તે સ્વસ્થ ભારત માટે ક્યારેય ગુટખાની એડને એન્ડોર્સ નહીં કરે. એવામાં અક્ષયને પોતાની જ વાતને ભૂલીને 4 વર્ષ બાદ તંબાકુ બ્રાન્ડને એન્ડોર્સ કરવું યુઝર્સને સમજ પડી રહી નહોતી.

લોકોએ એક્ટરને ખૂબ ટ્રોલ કર્યો હતો. ટ્રોલિંગની આ અસર હતી કે અક્ષયે પાન મસાલા કંપનીથી પોતાને દૂર કરી લીધો. તેને પોતાની ભૂલનો અનુભવ થઇ ગયો હતો. અક્ષય કુમારે આ ઇન્ટરવ્યૂમાં પોતાની સતત ફ્લોપ થઇ રહેલી ફિલ્મો બાબતે પણ વાત કરી અને કહ્યું કે, આ પ્રકારની વસ્તુ તેની સાથે પહેલી વખત થઇ રહી નથી. ઘણી વખત ઓડિયન્સ બદલી રહી હોય છે અને આપણે પોતાને ફરીથી ઝીરોથી રીક્રિએટ કરવા પડે છે, પબ્લિકનો ટેસ્ટ સમજવો પડે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.