યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્માનો ખુલાસો: “લગ્નના બીજા જ મહિનામાં દગો પકડી લીધો હતો”

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની અને જાણીતી કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા હાલમાં એક રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ રહી છે.અશ્નીર ગ્રોવર આ શોને હોસ્ટ કરી રહ્યા છે. શોના તાજેતરના એપિસોડમાં ધનશ્રીએ તેમના તૂટેલા લગ્ન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Dhanashree-Chahal
economictimes.indiatimes.com

એપિસોડ દરમિયાન અભિનેત્રી કુબ્રા સૈત સાથે વાત કરતાં ધનશ્રીએ જણાવ્યું કે લગ્નના ખાલી બીજા જ મહિનામાં તેને ખબર પડી ગઈ હતી કે આ સંબંધ આગળ નહીં ચાલે. તેણે કહ્યું, “બીજા જ મહિનામાં પકડી લીધો... ત્યારે જ સમજાઈ ગયું કે આ લગ્ન ચાલવાના નથી.” આ વાત સાંભળીને કુબ્રા નવાઈ પામી ગઈ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Dhanashree-Chahal2
news18.com

ધનશ્રીએ અગાઉ પણ શોમાં છૂટાછેડા અંગે વાત કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું હતું કે એલિમની લેવાની અફવા ખોટી છે. તેને કહ્યું કે, “આપસી સહમતિથી બધું ખૂબ જલદી પૂરું થઈ ગયું. એટલે જ્યારે લોકો એલિમનીની વાત કરે છે, તે સાચું નથી. હું ખાલી એ લોકોને સમજાવું છું, જે મારી માટે મહત્વના છે.”

https://www.instagram.com/reel/DPLiBxAD5DO/?utm_source=ig_web_copy_link

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલનું લગ્ન જીવન લગભગ ચાર વર્ષ ચાલ્યું. બંનેએ 2020ના લોકડાઉન દરમિયાન ઓનલાઇન ડાન્સ ક્લાસિસ મારફતે ઓળખાણ કરી હતી. થોડા મહિના ડેટ કર્યા બાદ ડિસેમ્બર 2020માં ગુડગાંવમાં લગ્ન કર્યા. આ વર્ષે માર્ચમાં બંનેએ સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરી હતી.

ફેબ્રુઆરી 2025માં તેમને બાંદ્રાની ફેમિલી કોર્ટ બહાર જોવા મળ્યાdhanashree- હતા, જ્યાં તેમણે આપસી સહમતિથી લગ્ન વિચ્છેદ પૂર્ણ કર્યો હતો.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.