ગંદી બાત ફેઇમ ગેહના વશિષ્ઠે ઇસ્લામ સ્વીકારી ચૂપચાપ કરી લીધા નિકાહ

‘ગંદી બાત’ ફેમ ગહન વશિષ્ઠ ફરી એક વખત ચર્ચાનો વિષય બની ગઈ છે. આ સમયે ચર્ચા હાંસલ કરવાનું કારણ કોઈ પ્રોજેક્ટ નથી, પરંતુ તેની અંગત જિંદગી છે. ગેહના વશિષ્ઠે ફૈજાન અન્સારી સાથે લગ્ન કરી લીધા છે. હવે તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ગેહના વશિષ્ઠ છેલ્લા ઘણા સમયથી ફૈજાન અન્સારી સાથે રિલેશનશીપમાં હતી. હવે તેણે લગ્ન કરીને પોતાની અંગત જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.

જો કે, બંનેએ અત્યાર સુધી પોતાના લગ્નને સત્તાવાર કર્યા નથી, પરંતુ બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગેહના વશિષ્ઠે ઈસ્લામિક રીત-રિવાજોથી ફૈજાન સાથે લગ્ન કરી લીધા છે. તેનું નામ એક વખત પહેલા પણ ખૂબ ચર્ચામાં રહી ચૂક્યું છે. ગેહના વશિષ્ઠ, રાજ કુંદ્રાના અશ્લીલ કન્ટેન્ટ બનાવવાના કેસમાં સામેલ હતી. તે આ સમયે બેલ પર છે. તો ગહન વશિષ્ઠનો પતિ ફૈજાન અન્સારીની વાત કરીએ તો સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર છે અને એક એક્ટર પણ છે. ફૈજાન હાલમાં જ અમેઝોન મિની તવી રિયાલિટી શૉ ‘બાજી’માં નજરે પડ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

ગેહના વશિષ્ઠને શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાના અશ્લીલ કન્ટેન્ટવાળી ફિલ્મોને શૂટ કરવા અને તેમને પ્રસારિત કરવાના કેસમાં મુંબઈ પોલીસ ધરપકડ કરી હતી. ગહન વશિષ્ઠે રાજ કુંદ્રાનું સમર્થન કર્યું હતું, તેણે રાજ કુંદ્રાની એપ માટે બનાવવામાં આવેલી 3 ફિલ્મોમાં કામ કર્યું હતું.

એક્ટ્રેસે કહ્યું હતું કે, કામુક કન્ટેન્ટ અશ્લીલ ફિલ્મોથી અલગ હતી. ઉલ્લેખનીય છે કે, ગેહના વશિષ્ઠનું અસલી નામ વંદના તિવારી છે. પોર્ન રેકેટ કેસમાં વર્ષ 2001માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth)

રિપોર્ટ્સ મુજબ, તેના પર ત્રણ અન્ય પુરુષો સાથે મળીને ગેંગરેપના પણ આરોપ છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, ગેહના વશિષ્ઠ અને 3 અન્ય લોકોએ મળીને તેને બળજબરીપૂર્વક પોર્ન ફિલ્મ શૂટ કરવાને લઈને મજબૂર કરી હતી. આ વાત પર સફાઇ આપતા ગહન વશિષ્ઠે કહ્યું હતું કે, બોલ્ડ અને ઇરોટિક ફિલ્મો પોર્નનો હિસ્સો હોતી નથી.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.