પરેશ રાવલ કહે- મેં મારો જ પેશાબ પીને તૂટેલા પગને સાજો કર્યો, ડોક્ટરો પણ દંગ હતા...

તાજેતરમાં પરેશ રાવલ એક મીડિયા ચેનલમાં મહેમાન તરીકે ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે, કેવી રીતે તેમણે એક વાર પોતાના પગને સાજા કરવા માટે પોતાનો પેશાબ પીધો હતો. આ સલાહ તેમને અજય દેવગણના પિતા વીરુ દેવગણે આપી હતી. પરેશ રાવલે આ વિશે જણાવ્યું, 'તે દિવસોમાં મેં મારું વજન 24 કિલો ઘટાડી દીધું હતું. હું સરદાર પટેલ સાહેબની ભૂમિકા ભજવી રહ્યો હતો અને હું હૈદરાબાદમાં રામુનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યાંથી હું મુંબઈ આવ્યો, કારણ કે સ્વરૂપ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતી. તે મારા બીજા દીકરાને જન્મ આપવાની તૈયારીમાં હતી. હું મુંબઈ આવ્યો, મેક મળ્યો. તેણે કહ્યું કે રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ઘાતક'નું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે. તમે આવી જાઓ. જ્યારે હું ત્યાં ગયો ત્યારે રાજે કહ્યું, યાર પરેશ, આપણે એક નાનો સીન કરવાનો છે. તેમણે કહ્યું કે તે દોઢ કલાકમાં થઈ જશે. રાકેશ પાંડે સાહેબ એક અભિનેતા હતા. તેમણે મને તે દ્રશ્યોમાં ઢસડીને લઇ જવાનો હતો. અમે માછલી બજારમાં શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં નવા ચપ્પલ આપવામાં આવ્યા હતા. તે માછલી બજારમાં લપસી રહ્યા હતા. કલાકારો રિહર્સલ દરમિયાન કોઈ મહેનત કરતા નથી પણ શોટ દરમિયાન વાવાઝોડા જેવા બની જાય છે.'

01

'તેથી તેણે શોટ આપ્યો. જોરથી ખેંચ્યો હતો. મારી ભૂલ હતી અને હું ઘુંટણિયાભેર પડ્યો. નાણાવટી હોસ્પિટલ પાછળ જ હતી. ટીનુ આનંદ સાહેબ ત્યાં હતા, ડેની સાહેબ ત્યાં હતા, તેઓ મને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. મને લાગ્યું કે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે. વીરુ દેવગન સાહેબ ત્યાં હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ કોઈને મળવા નાણાવટી આવ્યા હતા. ખબર પડી કે પરેશ અહીં છે. તેમણે મને પૂછ્યું કે તમને શું થયું છે. મેં તેમને કહ્યું, સાહેબ, હું પડી ગયો. તેમણે કહ્યું કે, હું કહું એમ કરીશ. મેં કહ્યું હા, હું કરીશ. મને કહો સાહેબ. સવારે ઉઠ્યા પછી તમારો પહેલો પેશાબ પીવો. બધા ફાઈટર લોકો આવું જ કરે છે. કોઈ સમસ્યા નહીં થાય. ક્યારેય કંઈ નહીં થાય. પણ આગલી રાત્રે દારૂ ન પીવાનો. તેઓ ચાલ્યા ગયા અને બીજા દિવસે સવારે મેં મારી જાતને તૈયાર કરી. મેં વિચાર્યું કે હું તેને બહાર નહીં કાઢી નાખું; હું તેને બીયરની જેમ ધીમે ધીમે પીશ. મેં 15 દિવસ સુધી આ કર્યું અને ડૉક્ટર સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું કે આ સિમેન્ટિંગ જાતે કેવી રીતે થઇ ગયું.'

પરેશ રાવલે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં તેમને સારવારમાં બે થી અઢી મહિનાનો સમય લાગવાનો હતો. પરંતુ તેમણે દોઢ મહિના પછી જ કામ શરૂ કર્યું હતું.

About The Author

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.