પરેશ રાવલ કહે- મેં મારો જ પેશાબ પીને તૂટેલા પગને સાજો કર્યો, ડોક્ટરો પણ દંગ હતા...

તાજેતરમાં પરેશ રાવલ એક મીડિયા ચેનલમાં મહેમાન તરીકે ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે, કેવી રીતે તેમણે એક વાર પોતાના પગને સાજા કરવા માટે પોતાનો પેશાબ પીધો હતો. આ સલાહ તેમને અજય દેવગણના પિતા વીરુ દેવગણે આપી હતી. પરેશ રાવલે આ વિશે જણાવ્યું, 'તે દિવસોમાં મેં મારું વજન 24 કિલો ઘટાડી દીધું હતું. હું સરદાર પટેલ સાહેબની ભૂમિકા ભજવી રહ્યો હતો અને હું હૈદરાબાદમાં રામુનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યાંથી હું મુંબઈ આવ્યો, કારણ કે સ્વરૂપ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતી. તે મારા બીજા દીકરાને જન્મ આપવાની તૈયારીમાં હતી. હું મુંબઈ આવ્યો, મેક મળ્યો. તેણે કહ્યું કે રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ઘાતક'નું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે. તમે આવી જાઓ. જ્યારે હું ત્યાં ગયો ત્યારે રાજે કહ્યું, યાર પરેશ, આપણે એક નાનો સીન કરવાનો છે. તેમણે કહ્યું કે તે દોઢ કલાકમાં થઈ જશે. રાકેશ પાંડે સાહેબ એક અભિનેતા હતા. તેમણે મને તે દ્રશ્યોમાં ઢસડીને લઇ જવાનો હતો. અમે માછલી બજારમાં શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં નવા ચપ્પલ આપવામાં આવ્યા હતા. તે માછલી બજારમાં લપસી રહ્યા હતા. કલાકારો રિહર્સલ દરમિયાન કોઈ મહેનત કરતા નથી પણ શોટ દરમિયાન વાવાઝોડા જેવા બની જાય છે.'

01

'તેથી તેણે શોટ આપ્યો. જોરથી ખેંચ્યો હતો. મારી ભૂલ હતી અને હું ઘુંટણિયાભેર પડ્યો. નાણાવટી હોસ્પિટલ પાછળ જ હતી. ટીનુ આનંદ સાહેબ ત્યાં હતા, ડેની સાહેબ ત્યાં હતા, તેઓ મને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. મને લાગ્યું કે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે. વીરુ દેવગન સાહેબ ત્યાં હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ કોઈને મળવા નાણાવટી આવ્યા હતા. ખબર પડી કે પરેશ અહીં છે. તેમણે મને પૂછ્યું કે તમને શું થયું છે. મેં તેમને કહ્યું, સાહેબ, હું પડી ગયો. તેમણે કહ્યું કે, હું કહું એમ કરીશ. મેં કહ્યું હા, હું કરીશ. મને કહો સાહેબ. સવારે ઉઠ્યા પછી તમારો પહેલો પેશાબ પીવો. બધા ફાઈટર લોકો આવું જ કરે છે. કોઈ સમસ્યા નહીં થાય. ક્યારેય કંઈ નહીં થાય. પણ આગલી રાત્રે દારૂ ન પીવાનો. તેઓ ચાલ્યા ગયા અને બીજા દિવસે સવારે મેં મારી જાતને તૈયાર કરી. મેં વિચાર્યું કે હું તેને બહાર નહીં કાઢી નાખું; હું તેને બીયરની જેમ ધીમે ધીમે પીશ. મેં 15 દિવસ સુધી આ કર્યું અને ડૉક્ટર સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું કે આ સિમેન્ટિંગ જાતે કેવી રીતે થઇ ગયું.'

પરેશ રાવલે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં તેમને સારવારમાં બે થી અઢી મહિનાનો સમય લાગવાનો હતો. પરંતુ તેમણે દોઢ મહિના પછી જ કામ શરૂ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.