પરેશ રાવલ કહે- મેં મારો જ પેશાબ પીને તૂટેલા પગને સાજો કર્યો, ડોક્ટરો પણ દંગ હતા...

તાજેતરમાં પરેશ રાવલ એક મીડિયા ચેનલમાં મહેમાન તરીકે ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે, કેવી રીતે તેમણે એક વાર પોતાના પગને સાજા કરવા માટે પોતાનો પેશાબ પીધો હતો. આ સલાહ તેમને અજય દેવગણના પિતા વીરુ દેવગણે આપી હતી. પરેશ રાવલે આ વિશે જણાવ્યું, 'તે દિવસોમાં મેં મારું વજન 24 કિલો ઘટાડી દીધું હતું. હું સરદાર પટેલ સાહેબની ભૂમિકા ભજવી રહ્યો હતો અને હું હૈદરાબાદમાં રામુનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યાંથી હું મુંબઈ આવ્યો, કારણ કે સ્વરૂપ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હતી. તે મારા બીજા દીકરાને જન્મ આપવાની તૈયારીમાં હતી. હું મુંબઈ આવ્યો, મેક મળ્યો. તેણે કહ્યું કે રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ઘાતક'નું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે. તમે આવી જાઓ. જ્યારે હું ત્યાં ગયો ત્યારે રાજે કહ્યું, યાર પરેશ, આપણે એક નાનો સીન કરવાનો છે. તેમણે કહ્યું કે તે દોઢ કલાકમાં થઈ જશે. રાકેશ પાંડે સાહેબ એક અભિનેતા હતા. તેમણે મને તે દ્રશ્યોમાં ઢસડીને લઇ જવાનો હતો. અમે માછલી બજારમાં શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં નવા ચપ્પલ આપવામાં આવ્યા હતા. તે માછલી બજારમાં લપસી રહ્યા હતા. કલાકારો રિહર્સલ દરમિયાન કોઈ મહેનત કરતા નથી પણ શોટ દરમિયાન વાવાઝોડા જેવા બની જાય છે.'

01

'તેથી તેણે શોટ આપ્યો. જોરથી ખેંચ્યો હતો. મારી ભૂલ હતી અને હું ઘુંટણિયાભેર પડ્યો. નાણાવટી હોસ્પિટલ પાછળ જ હતી. ટીનુ આનંદ સાહેબ ત્યાં હતા, ડેની સાહેબ ત્યાં હતા, તેઓ મને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. મને લાગ્યું કે મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે. વીરુ દેવગન સાહેબ ત્યાં હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓ કોઈને મળવા નાણાવટી આવ્યા હતા. ખબર પડી કે પરેશ અહીં છે. તેમણે મને પૂછ્યું કે તમને શું થયું છે. મેં તેમને કહ્યું, સાહેબ, હું પડી ગયો. તેમણે કહ્યું કે, હું કહું એમ કરીશ. મેં કહ્યું હા, હું કરીશ. મને કહો સાહેબ. સવારે ઉઠ્યા પછી તમારો પહેલો પેશાબ પીવો. બધા ફાઈટર લોકો આવું જ કરે છે. કોઈ સમસ્યા નહીં થાય. ક્યારેય કંઈ નહીં થાય. પણ આગલી રાત્રે દારૂ ન પીવાનો. તેઓ ચાલ્યા ગયા અને બીજા દિવસે સવારે મેં મારી જાતને તૈયાર કરી. મેં વિચાર્યું કે હું તેને બહાર નહીં કાઢી નાખું; હું તેને બીયરની જેમ ધીમે ધીમે પીશ. મેં 15 દિવસ સુધી આ કર્યું અને ડૉક્ટર સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું કે આ સિમેન્ટિંગ જાતે કેવી રીતે થઇ ગયું.'

પરેશ રાવલે વધુમાં કહ્યું કે, શરૂઆતમાં તેમને સારવારમાં બે થી અઢી મહિનાનો સમય લાગવાનો હતો. પરંતુ તેમણે દોઢ મહિના પછી જ કામ શરૂ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.