જાવેદ અખ્તરે 'બોર્ડર 2'ના ગીતો લખવાનો કેમ ઇનકાર કર્યો? બોલ્યા- ‘જરૂર શું છે?’

જે.પી. દત્તાની 1997ની ફિલ્મ 'બોર્ડર'ને કેમ આઇકોનિક માનવામાં આવે છે, તેનો કોઈ એક જવાબ નથી. ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ હતી, જેને લોકો આજે પણ યાદ કરે છે. જો ક્યાંય પણ ફિલ્મનું ગીત સંદેશે આતે હૈં વાગે છે, ત્યારે લોકો થંભી જાય છે. આ ગીતને સુપ્રસિદ્ધ લેખક જાવેદ અખ્તરે લખ્યું હતું, જેને તેના માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

28 વર્ષ બાદબોર્ડર 2’ મોટા પડદા પર પરત ફરી રહી છે, અને ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, કેટલાક લોકો એવા પણ છે, જે એ વાતથી નારાજ છે કે સિક્વલમાં જાવેદ અખ્તરે લખેલું એક પણ ગીત નથી. બોર્ડર 2’નું ગીત ઘર કબ આઓગે રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર તીખી બહેસ છેડાઈ ગઈ હતી. હવે જાવેદ અખ્તરે જણાવ્યું છે કે, તેઓ આ સિક્વલનો હિસ્સો કેમ ન બન્યા.

javed-akhtar4
indianexpress.com

જાવેદ અખ્તરે ખુલાસો કર્યો કે, ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમને ગીતો માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સામેથી ના પાડી દીધી. તેમનું કહેવું છે કે, ‘તેમણે મને ફિલ્મ માટે ગીત લખવાનું કહ્યું હતું, પરંતુ મેં ના પાડી. હકીકતમાં લાગે છે કે આ એક પ્રકારની સર્જનાત્મક નાદારી છે. તમારી પાસે એક જૂનું ગીત છે, જે અગાઉ ખૂબ જ હિટ રહ્યું હતું, અને હવે તમે તેમાં કંઈક ઉમેરીને તેને ફરીથી રીલિઝ કરવા માંગો છો? અથવા તો નવા ગીતો બનાવો, અથવા માની લો કે તમે હવે આવા જ સ્તરનું કામ કરી શકતા નથી.

લેખકે આગળ કહ્યું કે, ‘જે વીતી ગયું, તેને વીતી જવા દો. તેને રિમેક કરવાની શું જરૂર છે? અમારી સામે પણ એક જૂની હકીકત હતી, જે પાસે 1964માં આવી હતી. તેના ગીતો કોઈ સામાન્ય નહોતા.  જેમ કે કર ચલે હમ ફીદા અથવા મેં સોચકર ઉસકે દર સે ઊઠાં થા.’ વાહ! કેટલા અદ્ભુત ગીતો હતા. પરંતુ અમે તે ગીતોનો ઉપયોગ ન કર્યો. અમે એકદમ નવા ગીતો લખ્યા, સંપૂર્ણપણે અલગ ગીતો બનાવ્યા, અને લોકોને પણ તે ગમ્યા.

javed-akhtar3
freepressjournal.in

હવે, જો તમે નવી ફિલ્મ બનાવી રહ્યા છો, તો નવા ગીતો બનાવો ને? તમે જૂના ગીતો સાથે કેમ ટકી બેઠા છો? તમે પહેલા જ સ્વીકારી લીધું છે કે અમે આવું નહીં કરી શકીએ. તો, બસ જૂની શાન સાથે જીવતા રહો.જ્યારે અમે કહ્યું કે ઘણા લોકો માને છે કે જૂની વસ્તુઓનું વારંવાર પુનરાવર્તન કરવું એ ફક્ત એક માર્કેટિંગની રીત છે, જેથી લોકોમાં જૂની યાદો તાજી થઈ જાય. ત્યારે તેમણે કડક અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, ‘તો તમે નવી યાદો જાતે બનાવો.

બોર્ડર 2’ની વાત કરીએ તો તેમાં નવા ગીતો સાથે-સાથે જૂના ગીતોનું પણ મિશ્રણ છે. ઉદાહરણ તરીકે, ‘ઘર કબ આઓગેને નવા અંદાજમાં લખવામાં આવ્યું છે, પરંતુ તેમાં તે જ લાગણી નાખવામાં આવી છે. હિન્દુસ્તાન મેરી જાન અને જાતે હુએ લમ્હોં જેવા ગીતો નવા સિંગરોએ ગાયા છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.