જાવેદ અખ્તરે 'બોર્ડર 2'ના ગીતો લખવાનો કેમ ઇનકાર કર્યો? બોલ્યા- ‘જરૂર શું છે?’

જે.પી. દત્તાની 1997ની ફિલ્મ 'બોર્ડર'ને કેમ આઇકોનિક માનવામાં આવે છે, તેનો કોઈ એક જવાબ નથી. ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ હતી, જેને લોકો આજે પણ યાદ કરે છે. જો ક્યાંય પણ ફિલ્મનું ગીત સંદેશે આતે હૈં વાગે છે, ત્યારે લોકો થંભી જાય છે. આ ગીતને સુપ્રસિદ્ધ લેખક જાવેદ અખ્તરે લખ્યું હતું, જેને તેના માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

28 વર્ષ બાદબોર્ડર 2’ મોટા પડદા પર પરત ફરી રહી છે, અને ચાહકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, કેટલાક લોકો એવા પણ છે, જે એ વાતથી નારાજ છે કે સિક્વલમાં જાવેદ અખ્તરે લખેલું એક પણ ગીત નથી. બોર્ડર 2’નું ગીત ઘર કબ આઓગે રીલિઝ થતા જ સોશિયલ મીડિયા પર તીખી બહેસ છેડાઈ ગઈ હતી. હવે જાવેદ અખ્તરે જણાવ્યું છે કે, તેઓ આ સિક્વલનો હિસ્સો કેમ ન બન્યા.

javed-akhtar4
indianexpress.com

જાવેદ અખ્તરે ખુલાસો કર્યો કે, ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમને ગીતો માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે સામેથી ના પાડી દીધી. તેમનું કહેવું છે કે, ‘તેમણે મને ફિલ્મ માટે ગીત લખવાનું કહ્યું હતું, પરંતુ મેં ના પાડી. હકીકતમાં લાગે છે કે આ એક પ્રકારની સર્જનાત્મક નાદારી છે. તમારી પાસે એક જૂનું ગીત છે, જે અગાઉ ખૂબ જ હિટ રહ્યું હતું, અને હવે તમે તેમાં કંઈક ઉમેરીને તેને ફરીથી રીલિઝ કરવા માંગો છો? અથવા તો નવા ગીતો બનાવો, અથવા માની લો કે તમે હવે આવા જ સ્તરનું કામ કરી શકતા નથી.

લેખકે આગળ કહ્યું કે, ‘જે વીતી ગયું, તેને વીતી જવા દો. તેને રિમેક કરવાની શું જરૂર છે? અમારી સામે પણ એક જૂની હકીકત હતી, જે પાસે 1964માં આવી હતી. તેના ગીતો કોઈ સામાન્ય નહોતા.  જેમ કે કર ચલે હમ ફીદા અથવા મેં સોચકર ઉસકે દર સે ઊઠાં થા.’ વાહ! કેટલા અદ્ભુત ગીતો હતા. પરંતુ અમે તે ગીતોનો ઉપયોગ ન કર્યો. અમે એકદમ નવા ગીતો લખ્યા, સંપૂર્ણપણે અલગ ગીતો બનાવ્યા, અને લોકોને પણ તે ગમ્યા.

javed-akhtar3
freepressjournal.in

હવે, જો તમે નવી ફિલ્મ બનાવી રહ્યા છો, તો નવા ગીતો બનાવો ને? તમે જૂના ગીતો સાથે કેમ ટકી બેઠા છો? તમે પહેલા જ સ્વીકારી લીધું છે કે અમે આવું નહીં કરી શકીએ. તો, બસ જૂની શાન સાથે જીવતા રહો.જ્યારે અમે કહ્યું કે ઘણા લોકો માને છે કે જૂની વસ્તુઓનું વારંવાર પુનરાવર્તન કરવું એ ફક્ત એક માર્કેટિંગની રીત છે, જેથી લોકોમાં જૂની યાદો તાજી થઈ જાય. ત્યારે તેમણે કડક અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, ‘તો તમે નવી યાદો જાતે બનાવો.

બોર્ડર 2’ની વાત કરીએ તો તેમાં નવા ગીતો સાથે-સાથે જૂના ગીતોનું પણ મિશ્રણ છે. ઉદાહરણ તરીકે, ‘ઘર કબ આઓગેને નવા અંદાજમાં લખવામાં આવ્યું છે, પરંતુ તેમાં તે જ લાગણી નાખવામાં આવી છે. હિન્દુસ્તાન મેરી જાન અને જાતે હુએ લમ્હોં જેવા ગીતો નવા સિંગરોએ ગાયા છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.