જો ફિલ્મો નહીં હોય તો.. બોયકોટ બોલિવુડ ટ્રેન્ડ પર કરીના કપૂરનું સ્ટેટમેન્ટ

બોલિવુડ સુપર સ્ટાર કરીના કપૂર ખાને ફિલ્મોને બોયકોટ કરવાના ટ્રેન્ડ પર પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે. તેણે કહ્યું હતું કે, હું આ વાતથી સહેજ પણ સંમત નથી. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા તેણે કહ્યું હતું કે જો આવું થાય છે તો, અમે મનોરંજન કેવી રીતે કરીશું, તમારા જીવનમાં આનંદ અને ખુશી કેવી રીતે આવશે. મને લાગે છે કે દરેકને આ વસ્તુ જોઈતી હોય છે. જો ફિલ્મો નહીં હોય તો મનોરંજન કેવી રીતે હશે. તેની આ ટિપ્પણી શાહરુખ ખાનની રીલિઝ થનારી ફિલ્મ 'પઠાણ'ના એક ગીતને લઈને કરવામાં આવેલા બોયકોટના આહ્વાનની વચ્ચે આવી છે.

'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ'માં દીપિકા પાદુકોણ દ્વારા ભગવા રંગની બિકીની પહેરવાના લઈને દેશભરમાં વિરોધનો વંટોળ જાગ્યો છે અને ફિલ્મને બોયકોટ કરવાની માંગણીઓ ઉભી થઈ રહી છે. આ જ રીતનો બોયકોટનો ટ્રેન્ડ આમીર અને કરીનાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈને થયેલો સૌએ જોયો જ છે. જેનું પરિણામ આમીર ખાને ઘણું ખરાબ ભોગવવું પડ્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

બોયકોટના ટ્રેન્ડના લીધે મેકર્સ સહિત થિયેટરના માલિકોને પણ ઘણું નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર 2015 દરમિયાનનો આમીર ખાનનો એક વીડિયો વાયરલ થતા લોકોએ તેની ફિલ્મને બોયકોટ કરવાનું આહ્વાન આપ્યું હતું. આ વીડિયોમાં તેને એ કહેતા સાંભળવામાં આવ્યો હતો કે તેની તે સમયની પત્ની કિરણ રાવે ભારતમાં વધતી અસહિષ્ણુતાના કારણે દેશ છોડવાની સલાહ આપી હતી.

કરીના કપૂર ખાને તે સમયે પણ બોયકોટ ટ્રેન્ડનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તથ્ય એ છે કે લોકોએ આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ નહીં, આ ઘણી સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમીરને સ્ક્રીન પર જુએ. અમે ઘણા સમયની રાહ જોઈ છે.

આથી કૃપા કરી તેનો બોયકોટ ના કરો કારણ કે આ ખરેખરમાં સારા સિનેમાનો બોયકોટ કરવા જેવું છે. જણાવી દઈએ કે 2022નું વર્ષ બોલિવુડ માટે ઘણું જ ખરાબ રહ્યું હતું અને આખા વર્ષ દરમિયાન બોયકોટનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો. જેના કારણે 2-4 ફિલ્મોને છોડીને કોઈ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી શકી ન હતી.  

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.