મરાઠી અને હિન્દી ફિલ્મના દિગ્ગજ એક્ટર રવિ પટવર્ધનનું નિધન

મરાઠી અને હિન્દી ફિલ્મોના દિગ્ગજ એક્ટર રવિ પટવર્ધન, કે જે મરાઠી શો અગાબાઈ સાસુબાઈ અને વર્ષ 1980ના દશકની હિન્દી ફિલ્મો, તેજાબ અને અંકુશમાં પોતની શાનદાર એક્ટિંગ માટે ઓળખાતા હતા. શનિવારે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થઈ ગયું છે. તેમનો મોટો પુત્ર નિરંજન પટવર્ધને તેમના મોતની જાણકારી આપતા કહ્યું હતું કે ‘લગભગ ચાર દશક સુધી મનોરંજનની દુનિયામાં પોતાનું નામ બનાવનારા રવિ પટવર્ધન આપણી વચ્ચે નથી રહ્યા. સાંજે જ રવિ પટવર્ધનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે તેમને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમા એડમિટ થાય બાદ પણ તેમની તબિયતમાં સુધાર આવ્યો નહોતો.

રિપોર્ટનું કહેવું માનીએ તો માર્ચ મહિનામાં જ એક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો, જોકે એ પછી તેઓ પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા હતા. નિરંજન પટવર્ધને રવિવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘શનિવારની રાતે 9:00-9:30 વચ્ચે તમની તબિયત અચાનક ખરાબ થવા લાગી. ત્યારબાદ અમે તમને હોસ્પિટલ લઈને ગયા અને અરધા કલાક બાદ અમે તેમને ગુમાવી દીધા. એક્ટરના અંતિમ સંસ્કારને લઈને તેમના પુત્રએ કહ્યું હતું કે ‘ઠાણેમાં બપોરની આસપાસ અંતિમ સંસ્કાર આયોજિત કરવામાં આવશે. રવિ પટવર્ધન ઘણાં નાટકો અને લગભગ 200 ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. તેમાં હિન્દીમાં યશવંત (1997) અને આશા અસવ સુર્ય (1981), અંબર્ત (1982), ઝાંઝર (1987) અને ફુલે (2019) જેવી મરાઠી વિશેષતાઓ સામેલ છે.

એ સાથે જ તેઓ કેટલાક મરાઠી ભાષાવાળા શો પણ કરતાં હતા. તેમના મોતના સમાચાર બાદ હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. પટવર્ધનનો ટીવી શો અગાબાઈ સાસુબાઈના નિર્માતા સુનિલ ભોસલેએ તેમના મોતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે ‘મેં તેમની સાથે 15 દિવસ પહેલા જ વાત કરી હતી, કેમકે અમારે પોતના શોની શૂટિંગ શરૂ કરવાની હતી. COVID-19ના પ્રતિબંધોના કારણે અમે કહાનીમાં કંઈક આ રીતે બદલાવ કર્યા હતા કે તેઓ ઘરથી જ શૂટિંગ કરી શકતા હતા. સુનિલ ભોસલેએ જણાવ્યું કે રવિ પટવર્ધન અંત સુધી શૂટિંગ કરતાં હતા, પરંતુ વધતી ઉંમરમાં થતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું મોત થઈ ગયું. ફેબ્રુઆરીમાં પણ તેમને હાર્ટ એટેક આવ્યું હતું, પરંતુ એ સારા થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ કેમ ઇશ્યૂ કર્યું, જાણો આખો મામલો

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બીનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. જેને કારણે રાજકીય વાતાવરણમાં નવો ગરમાવો આવી ગયો છે. વર્ષ ...
Gujarat 
મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ કેમ ઇશ્યૂ કર્યું, જાણો આખો મામલો

‘સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કાચા પડી ગયા...’, આ શું બોલી ગયા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં રાજકીય માહોલ જામ્યો છે. એજ અનુસંધાને સુરતના વરાછા વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો છે....
Gujarat 
‘સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આપણે કાચા પડી ગયા...’, આ શું બોલી ગયા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી?

પાકિસ્તાન તો માત્ર એક ચહેરો છે; યુદ્ધ રોકવા પાછળ આ દેશનો હાથ... અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

ઈરાનમાં અચાનક થયેલા યુદ્ધવિરામ અંગે હવે એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીને...
World 
પાકિસ્તાન તો માત્ર એક ચહેરો છે; યુદ્ધ રોકવા પાછળ આ દેશનો હાથ... અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ઇનસાઇડ સ્ટોરી

દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા તો પિતાએ શોક સંદેશો છપાવી દીધો

રાજસ્થાનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દીકરીએ અન્ય સમાજના યુવાન સાથે લગ્ન કરી લીધા તો નારાજ થયેલા પિતાએ અખબારોમાં...
National 
દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કર્યા તો પિતાએ શોક સંદેશો છપાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.