સીમા હૈદરને ફિલ્મ ઓફર કરીને ફસાયા અમિત જાની, હવે MNSએ આપી ચેતવણી

પાકિસ્તાની મહિલા સીમા હૈદર પબ્જી રમતા પ્રેમ થયા બાદ સચિન મીણા માટે ભારત આવી ત્યારથી ચર્ચામાં છે. હવે તો તેની પ્રેમ કહાની પર ‘કરાંચી ટૂ નોઇડા’ નામથી ફિલ્મ બની રહી છે, જેના ઓડિશન પણ શરૂ થઈ ચૂક્યા છે. ફાયરફોક્સ પ્રોડક્શન સચિન અને સીમા હૈદરની લવ સ્ટોરી પર ફિલ્મ બનાવી રહ્યું છે. તેણે સીમા હૈદરને પણ ફિલ્મ ઓફર કરી છે, જેના પર રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ગુસ્સે ભરાઈ છે અને મેકર્સને ધમકી આપી છે. MNS પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે જો એવા તમાશા બંધ ન કર્યા તો રાડા થઈ જશે.

MNS પાર્ટીના સિનેમા વિંગના અધ્યક્ષ આમેય ખોપકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર સીમા હૈદર અને સચિન મીણા પર બની રહેલી ફિલ્મના મેકર્સને વોર્નિંગ આપી નાખી છે. તેમણે એક લાંબી-લચાક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું કે, કોઈ પણ પાકિસ્તાની નાગરિકને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની મંજૂરી ન આપવામાં આવે. અમે પોતાના વિચારો પર કાયમ છીએ કે પાકિસ્તાની નાગરિકને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પાકિસ્તાની નાગરિકોને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ જગ્યા ન મળવી જોઈએ. સીમા હૈદર એક પાકિસ્તાની મહિલા છે, જે આ સમયે ભારતમાં છે.

તેમણે આગળ લખ્યું કે, એવા સમાચારો પણ હતા કે તે ISI એજન્ટ હતી. આપણી ઇન્ડસ્ટ્રીના કેટલાક નવા કલાકાર આ જ સીમા હૈદરની પોપ્યુલારિટી માટે એક્ટ્રેસ બનાવવા માગે છે. દેશદ્રોહી નિર્માતાઓને શરમ કેમ આવતી નથી? સાર્વજનિક ચેતવણી આપવામાં આવી રહી છે કે એવા તમાશા તાત્કાલિક બંધ કરે નહીં તો MNSના હુમલા માટે તૈયાર રહો. જો તમે સાંભળતા નથી તો રાડા થઈ જશે. થોડા દિવસ અગાઉ સીમા હૈદરે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ફિલ્મોમાં સલમાન ખાન અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે કામ કરવા માગે છે.

હાલમાં જ પ્રોડ્યુસર અમિત જાની સીમા હૈદરને લઈને એક ફિલ્મ અનાઉન્સ કરી હતી, જેનું નામ ‘કરાંચી ટૂ નોઇડા’ છે. રિપોર્ટ્સ મુજબ, સીમા હૈદરે ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં મેકર્સે સીમા હૈદરના પૂર્વ પતિ ગુલામ હૈદરને પણ પાકિસ્તાનથી બોલાવી લીધો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા અમિત જાનીએ કહ્યું હતું કે, જો ગુલામ ભારત ન આવી શક્યો તો તે પોતાના રાઇટરને સાઉદી અરબ મોકલશે, જ્યાં ગુલામ અત્યારે રહે છે. સીમા હૈદર થોડા અઠવાડિયા અગાઉ ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી ભારતની સીમામાં ઘૂસી ગઈ હતી અને ત્યારથી તે પોતાના પ્રેમી સચિન મીણા સાથે રહે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.