SIRમાં અભિનેતા પ્રકાશ રાજનું નામ કપાયું, બોલ્યા- ‘આ કેવી મજાક છે?

પ્રખ્યાત બોલિવુડ અભિનેતા અને સામાજિક-રાજકીય કાર્યકર પ્રકાશ રાજને એ સમયે આઘાત લાગ્યો, જ્યારે તેમને જાણ થઇકે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પછી બેંગલુરુ મતદાર યાદીમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા એક વીડિયોમાં આ ઘટનાક્રમની મજાક ઉડાવી. બેંગલુરુ સેન્ટ્રલ સંસદીય બેઠક માટે અગાઉ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા આ અભિનેતાએ કહ્યું કે તેમનો આ જ મતવિસ્તારમાં જન્મ થયો, શિક્ષિત અને થિયેટરનું કામ થયું; છતાં, તેમનું નામ લાખો અન્ય નાગરિકોની સાથે ચૂપચાપ દૂર કરી દેવામાં આવ્યું હતું.

prakash-raj2
newindianexpress.com

તેમના વીડિયો સંદેશમાં પ્રકાશ રાજે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા પછી બેંગલુરુ મતવિસ્તારના આશરે 65 લાખ મતદારોમાંનો મત આપવાનો અધિકાર છીનવી લેવાયો છે, જેમાંથી તેઓ પણ એક છે. તેમણે કટાક્ષમાં ટિપ્પણી કરી કે, નાઇસ જોક, જાણો છે? મારો જન્મ આ મતવિસ્તારમાં થયો હતો, હું અહીં રહ્યો હતો, અને મારા સ્કૂલ, કોલેજ અને થિયેટરના દિવસો બધા અહીં જ વિત્યા. તમારી માહિતી માટે જણાવી દઉં કે મેં આ બેઠક પરથી સંસદીય ચૂંટણી પણ લડી છે. મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા, તેમણે વહીવટીતંત્રની કામગીરીની તીવ્ર ટીકા કરી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prakash Raj (@joinprakashraj)

મતદાર યાદી વિવાદ વચ્ચે, પ્રકાશ રાજે ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા નજીક વિરોધ કરી રહેલા JPSC અને JSSC ઉમેદવારો સામે પોલીસ દ્વારા બળપ્રયોગની પણ સખત નિંદા કરી. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા, જેમાં પોલીસ ટીયર ગેસના શેલ છોડતી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે, તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. #justasking હેશટેગનો ઉપયોગ કરીને તેમણે લખ્યું, "શા માટે... શા માટે... શા માટે? આ બર્બરતા હવે સહન કરવામાં આવશે નહીં... આ ફક્ત એક ઘમંડી શાસનને તોડી પાડવા માટે જ કામ કરશે."

Deepti-Gaur-Mukerjee3
indiatoday.in

નોંધનીય છે કે JPSC-JSSC સુધારા મંચના બેનર હેઠળ ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. પોતાની માંગણીઓના સમર્થનમાં, વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી અને વિધાનસભા સંકુલ તરફ કૂચ કરી. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે વોટર કેનન અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આંદોલનકારી ઉમેદવારો JSSC-સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા રદ કરવા અને ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓની CBI તપાસની માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે રાજ્ય સરકાર તેમની કાયદેસર માંગણીઓને અવગણી રહી છે, જે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

About The Author

Related Posts

Top News

CM વિજયનો નવો દાવ, તમિલનાડુ વિધાનસભામાં આ બિલના વિરોધમાં કર્યો ઠરાવ, કેન્દ્ર સમક્ષ રાખી મોટી માંગણી

થલાપતિ વિજયની TVK સરકારે બુધવારે તમિલનાડુ વિધાનસભામાં લોકસભા બેઠકોના સીમાંકનનો વિરોધ કરતો ઠરાવ રજૂ કર્યો. વિધાનસભાની ચર્ચા દરમિયાન, મુખ્યમંત્રી...
Politics 
CM વિજયનો નવો દાવ, તમિલનાડુ વિધાનસભામાં આ બિલના વિરોધમાં કર્યો ઠરાવ, કેન્દ્ર સમક્ષ રાખી મોટી માંગણી

ઓરો યુનિવર્સિટીમાં 'Integral Education' પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ

સુરત, 11 ઓગસ્ટ, 2026: AURO યુનિવર્સિટી, સુરત ખાતે ‘Integral Education: Theory, Practice and Transformation’ વિષય પર 10 અને 11 ઓગસ્ટે...
Gujarat 
ઓરો યુનિવર્સિટીમાં 'Integral Education' પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ

પાન મસાલા પ્લાસ્ટિક પેકિંગમાં નહીં વેચી શકાય, આખા દેશમાં પ્રતિબંધ, FSSAIએ જાહેર કર્યા કડક નિયમો

દેશમાં પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ દિશામાં એક મોટો નિર્ણય લેતા ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા...
National 
પાન મસાલા પ્લાસ્ટિક પેકિંગમાં નહીં વેચી શકાય, આખા દેશમાં પ્રતિબંધ, FSSAIએ જાહેર કર્યા કડક નિયમો

સુરતમાં લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડના ફેક્ટરી આઉટલેટના શુભારંભ સાથે પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન રજૂ કર્યું

સુરત : દેશની સૌથી મોટી અને વિશ્વસનીય લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સ એ તેની વૃદ્ધિ યાત્રામાં...
Gujarat 
સુરતમાં લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડના ફેક્ટરી આઉટલેટના શુભારંભ સાથે પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન રજૂ કર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.