બ્રેકઅપના દુખમાંથી બહાર નીકળતા 9 વર્ષ લાગ્યા, નકલી છે દુનિયા: રતન રાજપૂત

ટેલિવુઝન એક્ટ્રેસ રતન રાજપૂતે આજકલ ઈન્ડ્સ્ટ્રીથી દૂરી બનાવીને રાખી છે. ટીવીથી દૂર રહેની રતન બ્લોગ દ્વારા પોતાના લાઈફની અપડેટ લોકો સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા રતને વીડિયોમાં ગ્લેમર વર્લ્ડની કડવી સચ્ચાઈ જાહેર કરી હતી. જ્યારે હવે એક ઈન્ટરવ્યુમાં રતન રાજપૂતે એક્ટર્સની સ્ટ્રેસફુલ વર્કલાઈફ અને પોતાના બ્રેકઅપ પર વાત કરી છે. રતન રાજપૂત ઈન્ડ્સ્ટ્રીની ટેલેન્ટેડ અને બેબાક એક્ટ્રેસમાંની એક છે.

રતન પોતાના વીડિયોઝમાં ઘણી વખત ગંભીર મુદ્દાઓ પર વાત કરતી જોવા મળી છે. જ્યારે હવે ફરીથી એક વખત ફરીથી રતને લાઈફની કડવી સચ્ચાઈ દુનિયાની સામે રાખી છે. બોમ્બે ટાઈમ્સને આપેવા ઈન્ટરવ્યુમાં રતન કહે છે- મને લાગે છે કે આ દુનિયા દિવસે દિવસે એકલી થતી જઈ રહી છે. જ્યારે કોઈ સુસાઈડ કરીને પોતાની લાઈફ ખતમ કરી લે છે, તો સોશિયલ મીડિયા પર RIP સંદેશ લખે છે. એવું જતાવે છે કે તેઓ તે વ્યક્તિની ઘણી નજીક હતા.

મારો સવાલ એ છે કે જ્યારે તે વ્યક્તિ ડિપ્રેશનમાં હતો, ત્યારે તમે ક્યાં હતા. જ્યારે લોકો ડિપ્રેશનમાં હોય છે, તો કોઈ આસપાસ જોવા નથી મળતું. પરંતુ તમે કોઈના મિત્ર છો, તો તેને દિલ ખોલીને વાત કરો. ન કે તેમના મર્યા પછી તેમને યાદ કરો. રતન કહે છે કે દરેક એક્ટર એક તનાવપૂર્ણ સ્થિતિમાંથી પસાર થાય છે. રતન પણ આ સમયમાંથી પસાર થઈ ચૂકી છે. રતન કહે છે કે હું થોડા સમય માટે રિલેશનમાં હતી. થોડા સમય પછી બ્રેકઅપ થઈ ગયું હતું. તેમાંથી બહાર નીકળવા માટે મને 9 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

રતનું માનવું છે કે બ્રેકઅપનું દર્દ આર્થિક પરેશાનીથી પણ વધારે હોય છે. જ્યારે કોઈનું દિલ તૂટી જાય છે તો તેની સાથે ડીલ કરવું ઘણું મુશ્કેલ હોય છે. ઈન્ટરવ્યુમાં રતને તુનિશાના સુસાઈડ પર પણ દુખ જતાવ્યું હતું.  હાલમાં જ રતન રાજપૂતે એક નવો વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં રતને ગ્લેમર વર્લ્ડની સચ્ચાઈ બતાવી છે. રતન કહે છે કે, ઈન્ડ્સ્ટ્રીમાં લોકો પાસે ઘરના ભાડા ચૂકવવા માટેના પૈસા નથી હોતા પરંતુ તેમણે પાર્ટીઓ કરવી હોય છે. દેખાડાના કારણે લોકો પોતાની લાઈફ બરબાદ કરી દે છે.   

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.