શૈલેષ લોઢાએ ‘તારક મહેતા’ના અસિત મોદી સામે કેસ કર્યો, જાણો કારણ

ટીવી પર આવતા લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી સામે શોના પૂર્વ કલાકાર શૈલેષ લોઢાએ કેસ કર્યો છે. ઘણા સમયથી શૈલેષ લોઢા અને અશિત મોદી વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો અને સોશિયલ મીડિયામાં બંને એકબીજા સામે આક્ષેપો- પ્રતિ આક્ષેપો પણ કરી રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે લોઢાએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

શૈલેષ લોઢા વર્ષોથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલા હતા. થોડા સમય પહેલા જ તેમણે અચાનક આ શોને અલવિદા કરી દીધું હતું. શોના પ્રોડ્યુસર અસિત મોદી અને શૈલેષ લોઢા વચ્ચેના ઝઘડાના સમાચાર પણ સામે આવતા રહે છે. શૈલેષ પણ અસિતને નિશાન બનાવવાનો મોકો ચૂકતા નથી આ દરમિયાન શૈલેષે અસિતની પ્રોડક્શન કંપની સામે કેસ દાખલ કર્યો છે.

શૈલેષ લોઢાએ TMKOCમાં તારક મહેતા તરીકે 14 વર્ષ સુધી કામ કર્યું. ગયા વર્ષે એપ્રિલમાં અસિત મોદી સાથેના વિવાદ બાદ તેમણે શો છોડી દીધો હતો. મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવતો હતો કે શૈલેષ લોઢાની એક વર્ષથી વધુ સમયની બાકી રકમ ક્લિયર કરવામાં આવી નથી. 6 મહિનાની રાહ જોયા બાદ હવે શૈલેષે અસિત મોદીની પ્રોડક્શન કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શૈલેષ લોઢાએ અસિત મોદી વિરુદ્ધ તેમના પગારમાં વિલંબ થવા માટે ફરિયાદ નોંધાવી છે અને પ્રોડક્શન કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શૈલેષે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો છે શૈલેષે ટ્રિબ્યુનલમાં કહ્યું છે કે અસિત મોદીએ હજુ સુધી મહેનતાણાની રકમ ચૂકવી નથી. આ કેસમાં મે મહિનામાં સુનાવણી થશે. મીડિયાએ જ્યારે શૈલેષ લોઢાને પુછ્યું તો તેમણે કહ્યુ કે, મામલો અત્યાર કોર્ટમા હોવાતી કોઇ ટીપ્પણી આપવી યોગ્ય નથી.

અસિત મોદીએ આની પર કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રમાનીએ કહ્યુ હતું કે, અમે શૈલેષ લોઢાને ઇમેલ અને કોલ કરીને વિનંતી કરી હતી કે જરૂરી પેપર વર્ક પૂરો કરીને તમારો પગાર લઇ જાઓ, અમે ક્યારેય લોઢાને પગાર આપવાનો ઇન્કાર કર્યો નથી. દરેક કંપનીમાં નોકરી છોડ્યા પછી પેપર વર્કની એક પ્રોસેસ હોય છે, આમાં ક્યાં કોઇ ઇશ્યૂ છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.