સુશાંતવાળા ફ્લેટને 3 વર્ષ બાદ ભાડૂઆત મળ્યા, આટલા લાખ ભાડું છે

જે ફ્લેટમાં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બોડી મળી હતી, તે લાંબા સમયથી ખાલી જ રહ્યો, પરંતુ હવે તેને આ ઘરને એક ભાડૂત મળી ગયો છે. લગભગ 3 વર્ષ બાદ આ ફ્લેટના NRI માલિકને પાછો આ ફ્લેટને ભાડા પર ચડાવવાનો ચાન્સ મળ્યો છે. મુંબઇના એક રિયલ એસ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે જણાવ્યું કે, થોડા મહિના અગાઉ માલિકે તેની સાથે સંપર્ક કર્યો હતો. ફ્લેટ બાબતે જે પ્રકારના સમાચારો ફેલાઇ રહ્યા હતા, તેના કારણે ભાડૂત તેનાથી તમામ પ્રકારના સવાલ પૂછતા રહેતા હતા. ફ્લેટનું ભાડું 5 લાખ રૂપિયા મહિને રાખવામાં આવશે.

સાથે જ ભાડૂતે માલિક પાસે 30 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે, જે 6 મહિનાના ભાડા બરાબર હશે. ઉલ્લેખનીય છે કે, આ જ ફ્લેટમાં 14 જાન્યુઆરી 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું શબ મળ્યું હતું. એક રિપોર્ટ મુજબ, અમને આ ફ્લેટ માટે કોઇ (ભાડૂત) મળી ગયું છે. બ્રોકરે કહ્યું કે, અમે પરિવાર સાથે વાત કરીને અંતિમ પડાવ પર છીએ, ત્યારબાદ વસ્તુ ફાઇનલ કરી લેવામાં આવશે. લોકો હવે સુશાંતવાળા કેસને લઇને રિલેક્સ છે કેમ કે વસ્તુઓને હવે ઘણો સમય થઇ ચૂક્યો છે.

બ્રોકરે કહ્યું કે, પાર્ટીઓને પહેલા જ કહી દેવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં સુશાંત રહેતો હતો. કેટલાક લોકોને ઇતિહાસ સાથે કોઇ મતલબ નથી અને તેઓ તેના માટે જવા માગે છે, પરંતુ તેમના મિત્ર અને પરિવારના સભ્ય તેમને ડીલ સાથે આગળ વધતા હતોત્સાહિત કરે છે. હવે મલિક કોઇ ફિલ્મ સેલિબ્રિટીને ફ્લેટ ભાડા પર આપવા માગે છે, પછી તે કોઇ પણ હોય, કેટલો પણ મોટો કેમ નહીં હોય. તેમનું સ્પષ્ટ છે કે તેઓ ફ્લેટ કોઇ કોર્પોરેટ વ્યક્તિને સોંપવા માગે છે.

રિપોર્ટથી એક વાત સ્પષ્ટ છે કે, હવે કોઇ ફેમિલી આ ઘરમાં શિફ્ટ થશે. ગયા મહિને જ એક ચેનલ સાથે વાતચીતમાં રફીકે જણાવ્યું હતું કે, લોકો આ ફ્લેટમાં શિફ્ટ કરતા ડરે છે. જ્યારે લોકોને ખબર પડી કે આ એ જ ઘર છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું, તો અહીં વિઝિટ કરવા આવવાની ના પાડી દે છે. હવે ઓછામાં ઓછા લોકો આ ફ્લેટની વિઝિટ કરવા આવી રહ્યા છે. કારણ એ જ છે કે સુશાંતના મોતવાળા સમાચાર જૂના થઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.