વિવેક અગ્નિહોત્રીએ કોર્ટ પાસે કેમ માગી માફી? જાણો શું છે મામલો

એક જજ વિરુદ્ધ ટિપ્પણી કેસમાં ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોમવારે દિલ્હી હાઇ કોર્ટમાં કોઈ પણ શરત વિના માફી માગી લીધી છે. ત્યારબાદ હાઇ કોર્ટે આરોપોમાંથી મુક્ત કરી દીધા. આ કેસ વર્ષ 2018માં જસ્ટિસ એસ. મુરલીધર વિરુદ્ધ ટ્વીટ સાથે જોડેલો છે. હાઇ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સોમવારે વિવેક અગ્નિહોત્રી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા આ કોઈ પણ શરત વિના માફી માગી લીધી હતી.

કોર્ટે શું કહ્યું?

હાઇ કોર્ટે કહ્યું કે, વિવેક અગ્નિહોત્રી વ્યક્તિગત રૂપે સોમવારે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આપત્તિજનક ટ્વીટને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને કોઈ પણ શરત વિના માફી માગી લીધી છે. કોર્ટનું કહેવું છે કે તેમનો ઇરાદો કોર્ટના સન્માનને ઠેસ પહોંચાડવાનો નહોતો એટલે તેમને આ કેસમાં મુક્ત કરી દેવામાં આવે છે. વિવેક અગ્નિહોત્રીએ જે એફિડેવિટ રજૂ કરી છે તેનાથી ખબર પડે છે કે તે પોતાના વ્યવહારને લઈને દુઃખી છે. તેઓ કોર્ટનું સન્માન કરે છે અને તેમનો જાણીજોઇને કોર્ટની અવમાનના કરવાનો ઇરાદો નહોતો.

કોર્ટે વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ જાહેર કરેલા કારણ બતાવો નોટિસ પણ પરત લઈ લીધી છે અને આપત્તિજનક કેસમાંથી મુક્ત કરી દીધા છે. વિવેક અગ્નિહોત્રીનું માફીનામું સ્વીકારતા જસ્ટિસ સિદ્ધાર્થ મુદુલ અને જસ્ટિસ વિકાસ મહાજને તેમને કેસમાંથી મુક્ત કરતા ભવિષ્યમાં એવા કોઈ પણ વ્યવહારથી મુક્ત કરવાની સલાહ આપી છે.

શું છે કેસ?

વિવેક અગ્નિહોત્રીએ એલ્ગાર પરિષદના કેસમાં આરોપી સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાના હાઉસ અરેસ્ટના આદેશને પણ ફગાવવાના જસ્ટિસ એમ. મુરલીધરન નિર્ણયની નિંદા કરી હતી. તેને લઈને તેમણે વર્ષ 2018મા ટ્વીટ કરી હતી, જેના પર કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એ સિવાય એક વૈજ્ઞાનિક આનંદ રંગનાથન વિરુદ્ધ પણ અવમાનનાનો કેસ શરૂ કર્યો હતો. ફિલ્મના ડિરેક્ટરે આ કેસમાં જજ એસ. મુરલીધરનના આદેશ બાદ તેમના પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 24 મેના રોજ થશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.