'અમે કંટાળી ગયા છીએ, 'સૂર્યવંશમ' હજુ કેટલા વર્ષ જોવી પડશે?', યુઝરે કરી RTI

22 વર્ષ પહેલા રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' ઘણીવાર ટીવી પર દેખાય છે. આ ફિલ્મે પણ હવે TV પર ઘણી વખત ટેલિકાસ્ટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. હીરા ઠાકુર, રાધા, ગૌરી અને મેજર રણજીત જેવા ફિલ્મના અનેક પાત્રો લોકોની જીભ પર ચડી ગયા છે. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મ વિશે અવારનવાર ઘણા મીમ્સ અને જોક્સ શેર કરવામાં આવે છે.

જો કે, આપણે TV પર ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે, જેણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' જોઈ ન હોય. સૂર્યવંશમ એક એવી ફિલ્મ બની છે, જે ફ્લોપ હોવા છતાં સુપરહિટ સાબિત થઈ છે. મૂવી ચેનલ SET Max પાસે 'સૂર્યવંશમ'ના સેટેલાઇટ અધિકારો હતા અને આ ચેનલે ફિલ્મ એટલી બધી બતાવી કે SET Maxનું નામ પણ 'સૂર્યવંશમ' સાથે જોડાઈ ગયું. એવું કોઈ અઠવાડિયું નથી જ્યારે આ ફિલ્મ ટેલિકાસ્ટ ન થઈ હોય. દેશનું દરેક બાળક આ ફિલ્મની વાર્તાથી વાકેફ થઈ ગયું છે. જો કે સોશિયલ મીડિયામાં હવે આ ફિલ્મની મજાક ઉડી રહી છે. આ ફિલ્મ પર એક યુઝરે એક લેટર પણ લખ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ફિલ્મ વિશે એક યુઝરે એક પત્ર લખ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં લખ્યું છે, 'અમને આખી વાર્તા ખબર પડી ગઈ છે. હીરા ઠાકુર વિશે સારી માહિતી મળી છે. હવે અમે જાણવા માંગીએ છીએ કે આ ફિલ્મ SAT Max ચેનલ પર ક્યાં સુધી પ્રસારિત થશે.'

રજત કુમારના ફેસબુક યુઝરે આ પોસ્ટ શેર કરી છે. આ તસવીરને 34 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે આ તસવીર પર 1 હજારથી વધુ લોકોની કમેન્ટ જોવા મળી છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, 'રાધા હજુ નોકરી પર છે કે નિવૃત્ત થઈ ગઈ છે, આ પણ તમારા પ્રાર્થના પત્રમાં ઉમેરો.' કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, 'હવે મારો પુત્ર પણ બસ ખરીદવાનું કહી રહ્યો છે.'

સૂર્યવંશમ એ ભારતીય મૂવી ચેનલ પર સૌથી વધુ પ્રસારિત મૂવી છે. આ ફિલ્મને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. ફિલ્મના 18 વર્ષ પૂરા થવા પર અમિતાભ બચ્ચને પોતે ટ્વિટ કરીને ફિલ્મના વખાણ કર્યા હતા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.