'અમે કંટાળી ગયા છીએ, 'સૂર્યવંશમ' હજુ કેટલા વર્ષ જોવી પડશે?', યુઝરે કરી RTI

22 વર્ષ પહેલા રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' ઘણીવાર ટીવી પર દેખાય છે. આ ફિલ્મે પણ હવે TV પર ઘણી વખત ટેલિકાસ્ટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. હીરા ઠાકુર, રાધા, ગૌરી અને મેજર રણજીત જેવા ફિલ્મના અનેક પાત્રો લોકોની જીભ પર ચડી ગયા છે. સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મ વિશે અવારનવાર ઘણા મીમ્સ અને જોક્સ શેર કરવામાં આવે છે.

જો કે, આપણે TV પર ઘણી ફિલ્મો જોઈ હશે, પરંતુ આપણામાંથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે, જેણે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ' જોઈ ન હોય. સૂર્યવંશમ એક એવી ફિલ્મ બની છે, જે ફ્લોપ હોવા છતાં સુપરહિટ સાબિત થઈ છે. મૂવી ચેનલ SET Max પાસે 'સૂર્યવંશમ'ના સેટેલાઇટ અધિકારો હતા અને આ ચેનલે ફિલ્મ એટલી બધી બતાવી કે SET Maxનું નામ પણ 'સૂર્યવંશમ' સાથે જોડાઈ ગયું. એવું કોઈ અઠવાડિયું નથી જ્યારે આ ફિલ્મ ટેલિકાસ્ટ ન થઈ હોય. દેશનું દરેક બાળક આ ફિલ્મની વાર્તાથી વાકેફ થઈ ગયું છે. જો કે સોશિયલ મીડિયામાં હવે આ ફિલ્મની મજાક ઉડી રહી છે. આ ફિલ્મ પર એક યુઝરે એક લેટર પણ લખ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ફિલ્મ વિશે એક યુઝરે એક પત્ર લખ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં લખ્યું છે, 'અમને આખી વાર્તા ખબર પડી ગઈ છે. હીરા ઠાકુર વિશે સારી માહિતી મળી છે. હવે અમે જાણવા માંગીએ છીએ કે આ ફિલ્મ SAT Max ચેનલ પર ક્યાં સુધી પ્રસારિત થશે.'

રજત કુમારના ફેસબુક યુઝરે આ પોસ્ટ શેર કરી છે. આ તસવીરને 34 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે આ તસવીર પર 1 હજારથી વધુ લોકોની કમેન્ટ જોવા મળી છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, 'રાધા હજુ નોકરી પર છે કે નિવૃત્ત થઈ ગઈ છે, આ પણ તમારા પ્રાર્થના પત્રમાં ઉમેરો.' કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, 'હવે મારો પુત્ર પણ બસ ખરીદવાનું કહી રહ્યો છે.'

સૂર્યવંશમ એ ભારતીય મૂવી ચેનલ પર સૌથી વધુ પ્રસારિત મૂવી છે. આ ફિલ્મને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. ફિલ્મના 18 વર્ષ પૂરા થવા પર અમિતાભ બચ્ચને પોતે ટ્વિટ કરીને ફિલ્મના વખાણ કર્યા હતા.

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.