રખડતા હડકાયા કુતરાઓનો આતંક, બારડોલીમાં 12 લોકોને બચકાં ભર્યા, બધા હોસ્પિટલમાં

રખડતા કુતરા અને રખડતા પશુ ગુજરાતમાં એક મોટી સમસ્યા છે અને તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. સરકાર હમેંશા આગ લાગે ત્યારે કુવો ખોદવા નિકળે છે. પછી બધું ઠેરનું ઠેર. હવે સુરત જિલ્લાના એક તાલુકામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બારડોલીમાં રખડતા હડકાયા કુતરાઓએ ભારે આતંક મચાવ્યો છે અને 12 લોકોને કરડી ખાધા છે. આ બધા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે બારડોલીમાં હડકાયા કુતરાઓએ 12થી વધારે લોકોને કરડી લેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને જેમને કુતરા કરડી ગયા છે એ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બારડોલીમાં ધૂળિયા ચોકડી સહિત જુદા જુદા વિસ્તારોમાં હડકયા કુતરા કરડવાની ઘટના સામે આવી છે, 6 લોકોને સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 6 લોકો જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે. બારડોલી પાલિકા હવે ઉંઘમાંથી જાગી છે અને હડકાયા કુતરાઓને પકડવાની કામગીરી ચાલી રહી છે.

સુરત શહેરમાં પણ થોડા મહિનાઓ પહેલાં કુતરાઓએ ભારે આતંક મચાવ્યો હતો અને એક નાનકડી બાળકીને ફાડી ખાધી હતી. એ પછી પાલિકાનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ થોડા સમય પછી લોકો પણ શાંત થઇ ગયા અને તંત્ર પણ શાંત પડી ગયું હતું.

ડોકટરોનું કહેવું છે કે, કુતરો કરડે તેના 24 કલાકની અંદર જ હડકવા વિરોધી ઇંજેકશન મુકાવી દેવું જરૂરી છે. જો તમે આમાં બેદકરકારી કરશો તો અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ઘણીવાર કુતરો કરડયા પછી 5 ઇંજેકશનનના આપવા પડે છે, પરંતુ પહેલું ઇંજેકશન તો 24 કલાક પહેલાં લઇ જ લેવું. એ પછી ત્રીજા દિવસે,7 મા દિવસે, 14માં દિવસે અને છેલ્લે 28માં દિવસે ઇંજેકશન લેવું પડે છે.

તબીબોનું કહેવું છે કે જ્યારે હડકવા વિરોધી રસી આપ્યા પછી ઘણા દર્દીઓને તાવની સમસ્યા ઉભી થાય છે, પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી.

આરોગ્યના નિષ્ણાતોનું કહેવું છે કે ઇંજેકશન તો તમારે 24 કલાકની અંદર મુકાવવાનું જ છે, પરંતુ એ પહેલાં પણ તમે થોડી તકેદીરા રાખી શકો છો. જેમ કે, જે ભાગમાં કુતરાએ કરડી ખાધું છે તે ભાગને સાબુથી સૌથી પહેલાં ધોઇ નાંખો. જો કોઇ સંજોગોમાં ઘા ઉંડો હોય તો સાબુથી ધોયા પછી બેટાડીન મલમ લગાવો. આ હડકવા વાયરસની અસરને ઓછી કરવામાં થોડી મદદ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.