વરાછામાં યોગ કરતી વખતે રત્ન કલાકાર ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યોગાસન કરવા ગયેલો રત્નકલાકાર અચાનક ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરે તે પહેલાં જ તેના શ્વાસ થંભી ગયા હતા.  જાણવા મળેલી માહિતી મુજબ હાર્ટએટેકને કારણે રત્ન કલાકારે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી આવા અનેક ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ક્રિક્રેટ રમતા રમતા હ્રદયરોગના હુમલાને કારણે યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં જ છેલ્લાં એક મહિનામાં 5થી વધારે  યુવાનો સ્પોર્ટસ રમતા રમતા હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યા હોવાના કિસ્સા બન્યા છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ ચોક પાસે હરેકૃષ્ણ ફાર્મ હાઉસમાં 44 વર્ષના મુકેશ મેંદપરા યોગાસન કરવા ગયા હતા. મુકેશ મેંદપરા વરાછાની એક ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. ધૂળેટીની રજા હોવાને કારણે મેંદપરા વહેલી સવારે યોગા કરવા ગયા હતા. યોગા કરતી વખતે તેમની તબિયત અચાનક લથડી હતી અને તેમને દુખાવો ઉપડ્યો હતો. મુકેશ મેંદપરાને નજીકમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ એ પહેલાં જ તેમનું મોત થઇ ચૂક્યું હતું. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ મથકના પીએસઆઇ પી. એ. ભેડાએ જણાવ્યું હતું કે, મુકેશભાઈને યોગ દરમ્યાન એસીડીટી અને પેટમાં બળતરા થયા બાદ સાથી મિત્રો ઓટો રિક્ષામાં હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તે પહેલા તેમને છાતીમાં દુઃ ખાવો વધુ થયો હતો. હાર્ટ બંધ થઈ ગયું હોવાનું જાણવા મળતા તેમને મૃત જાહેર કર્યા હતા. એટલે અચાનક હૃદય રોગના હુમલાને કારણે તેમનું મોત થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે PM રીપોર્ટ બાદ મુકેશભાઈના મોતનું કારણ સામે આવી શકે છે.

છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનં પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી છથી સાત લોકોના મોત થયા છે.  હજુ થોડા દિવસો પહેલાં જ ઓલપાડમાં એક યુવાન ક્રિક્રેટ રમતા રમતા ઢળી પડ્યો હતો. આવા કિસ્સા રાજકોટમાં પણ બન્યા હતા. આવી રીતે મોતને ભેટનારો લોકો  એકદમ યુવાન વયના હતા.

મેદાન પર રમતી વખતે અચાનક મોતના કિસ્સાને સરકારે અને તબીબોએ ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે દિવસે દિવસે આવા કિસ્સા વઘી રહ્યા છે. તબીબોએ એ પણ ચેક કરવું જોઇએ કે કોરોનાને કારણે હાર્ટએટેકના બનાવો તો નથી વધી રહ્યા?

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.