સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજાયો

સુરત. ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટીવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના – એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીએ આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી. આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહરીશું, સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા. 

surat
Khabarchhe.com

શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મા કુમારી શિવાની દીદીની હાજરીમાં નવચેતના - એક નવી ઉર્જા, એક નવો સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દસ હજાર પુરૂષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયાન્સના સભ્યોએ ભાગ લીધો હતો. બ્રહ્મા કુમારી શિવાની દીદીએ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું.

surat
Khabarchhe.com

પ્રોગ્રેસ એલાયન્સ વિશે: પ્રોગ્રેસ એલાયન્સ, એક નોન પ્રોફિટ મોટીવ  સંસ્થા, અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ, નફામાં વૃદ્ધિ, ટીમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન, લોનમાંથી મુક્તિ, ચુકવણી સંગ્રહ, સ્ટોક રિડક્શન, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ, હિંમત, ફ્રીડમ, ફ્રીડમ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો પર 5,000 થી વધુ સાહસિકોના જીવનમાં કામ કર્યું છે. જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેનો 360 ડિગ્રી ગ્રોથ થયો છે. પ્રામાણિકતા, અધિકૃતતા, પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલ, પ્રોગ્રેસ એલાયન્સ "ગોઇંગ ટુગેદર"ની ભાવના સાથે કાર્ય કરે છે. સાથે ઊભા રહેવા, એકબીજાને ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત, પ્રોગ્રેસ એલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે, અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે. ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે, અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે.

surat
Khabarchhe.com

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.