ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી ઉપરથી નીચે સુધી મોટા ફેરફારોના એંધાણ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો સી આર પાટીલનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પુરો થયો છે, પરંતુ આજ સુધી તેમાં કોઇ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ પાટીલ જે ઝડપથી નિર્ણયો લઇ રહ્યા છે એ જોતા રાજકારણના જાણકારોનું માનવું છે કે તેમને પણ જે પી નડ્ડાની જેમ એકસ્ટેન્શન મળી ગયું છે. 2024ની લોકસભા ચૂંટણી સુધી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ યથાવત રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી ઉપરથી લઇને નીચે સુધીના માળખામાં ઘરખમ ફેરફારો આવી શકે છે.

ગુજરાતના રાજકરાણમાં અત્યારે વિપક્ષ શાંત છે, પરંતુ ભાજપનું આતંરિક રાજકારણ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચામાં છે. પત્રિકા કાંડ હોય કે, જામનગરમાં ધારાસભ્ય-સાસંદનો વિવાદ હોય, શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં આતંરિક ડખા વધી ગયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવનાર સી આર પાટીલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પુરો થયો છે, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગુજરાતની જીતનું પાટીલને મોટું ઇનામ મળી શકે છે અને કેન્દ્રના સંગઠનમાં અથવા મંત્રી તરીકેની મોટી જવાબદારી મળી શકે છે, પરંતુ એવો કોઇ ફેરફાર થયો નહી એટલે જાણકારોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં પાટીલની ભૂમિકાને મહત્ત્તવની માનીને તેમને આડકતરી રીતે એકસ્ટેશન આપી દેવામાં આવ્યું છે, એની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત ભાજપના સંગઠનમાં 15 સપ્ટેમ્બર પછી મહામંત્રીથી લઇને છેક નીચલી કેડર સુધી મોટા ફેરફારો થઇ શકે છે અને તેમાં રજની પટેલને કમલમ સહિતની મોટી જવાબદારી મળી શકે છે.

ગુજરાતના મહામંત્રી તરીકે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પછી તેમને ઇન્ચાર્જ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવેલી છે.

હવે સી આર પાટીલને આડકતરી રીતે એકસ્ટેન્શન મળી ગયું છે તેના કેટલાંક કારણો પણ છે. જે પ્રમાણે સી આર પાટીલ ફટાફટ નિર્ણયો લઇ રહ્યા છે તેના પરથી લાગે છે કે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે ચાલું રાખવામાં આવી શકે છે. ગયા મહિને પાટીલે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી, એ પછી 14 ઓગસ્ટે વિશાળ તિરંગા યાત્રા તેમના નેજા હેઠળ કાઢવામાં આવી હતી. મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પાટીલની હાજરી હતી.

ઉપરાંત પાટીલની હાજરીમાં તાજેતરમાં માતરમાં કોંગ્રેસના કાર્યકો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પદાધિકારીઓ માટે નો-રિપીટ થિયરીની પણ પાટીલે જાહેરાત કરી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.