કર્મસત્તા કોઇને પણ છોડતી નથી: આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્વરજી

પ્રમાદને પોષવા માટે માણસ જાણી જોઇને ખોટો રસ્તો અપનાવે છે. પોતે એમ માને છે કે તે આ રીતે અન્ય કોઇને છેતરી રહ્યો છે. પણ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. વાસ્તવમાં તે પોતાની જાતને છેતરી રહ્યો છે. પુણ્યોદય હોય ત્યારે તકલીફ દેખાતી નથી એ સમયે જે-જે વ્યક્તિ આવા નાટકો કરે છે તેને દંડ આપવા કર્મ સત્તા તૈયાર જ છે. કર્મસત્તા કોઇને પણ છોડતી નથી તેમ આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે સુરત ખાતે કહ્યું હતું.

ધર્મ માટે ભોગ આપવો નથી ને ધર્માત્મા બનીને ફરવું છે તે ન ચાલે. ધર્મ માટે ભોગ આપવો જ પડે. પ્રભુની આજ્ઞાનું ચુસ્ત પણે પાલન કરવું જ પડે. એક વખત પ્રભુની આજ્ઞાનું પાલન કરો તો શાસ્ત્રો સિવાય તમારી નજર અન્યત્ર દોડશે જ નહીં. જો આજ્ઞા તોડવાનું શરૂ કરશો તો મોહ મજબૂત થશે. પછી બધું સારું સારું મેળવવાની દિશામાં આગળ વધી એક પછી એક આજ્ઞા તોડતા જ રહેશો. કેટલાક તો એટલા મોહાંધ બની જાય કે સાધનને તજવા પણ તૈયાર થઇ જાય.

આજની ફેશનની દુનિયાના સંદર્ભે આચાર્ય ભગવંતે કહ્યું કે, એક વિદ્વાને ફેશનની સરસ વ્યાખા આપી છે અંગ ઢાંકીને અંગ ખુલ્લુ રાખવાની કળા એટલે ફેશન. જરા ધ્યાન રાખજો મર્યાદા ઢાંકવા માટે કપડાંની જરૂર છે. મર્યાદા ખુલ્લી કરવા માટે નહીં.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.