- Gujarat
- ગુજરાતમાં ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે ઝઘડા બાદ ઉશ્કેરાયેલા પિતાએ પોતાના જ પુત્રનું ઢીમ ઢાળી દીધ...
ગુજરાતમાં ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે ઝઘડા બાદ ઉશ્કેરાયેલા પિતાએ પોતાના જ પુત્રનું ઢીમ ઢાળી દીધું
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામમાં ગત 12 જુલાઈના રોજ ટ્રેક્ટરના ભાડા મુદ્દે થયેલા પારિવારિક વિવાદમાં પિતાએ પોતાના પુત્રનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પુત્રનો જીવ જતો રહ્યો છે. જે મામલે સંતરામપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ખેતી કામના ભાડા જેવી નજીવી બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈ ગયેલા પિતા રમેશ માલીવાડને લાકડી મારતા આવેશમાં આવેલા પિતાએ તે સમયે નહીં, પરંતુ જ્યારે પુત્ર પોતાના ઘોરનિંદ્રામાં ખાટલામાં સૂતો હતો, તે સમયે ઘરમાં પડેલી કુહાડી ઉઠાવી ખાટલામાં ઉંઘતા પુત્રના માથા અને મોઢાના તેમજ છાતીના ભાગે એકાએક જીવલણ ઘા ઝીંકી દીધા હતા
ઘટના સમયે અરવિંદની બૂમાબૂમ સાંભળીને આજુબાજુના સ્થાનિકો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હુમલામાં અરવિંદને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધો હતો બાદમાં આ સમગ્ર અંગે મૃતકની બહેન સુમિત્રાબેને સમગ્ર મામલે સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોતાના પિતા સામે જ ગુનો નોંધાવ્યો છે. ત્યારે પોલીસે પિતા રમેશભાઈની અટકાયત કરી તેમની સામે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આમ અહીં પિતા-પુત્રનો પવિત્ર સંબંધો લોહિયાળ બન્યો છે. અહીં પુત્રનું મોત થયું છે અને તેની સામે બહેને જે ફરિયાદ નોંધાવતા પિતા જેલ ભેગો થયો છે. ત્યારે માત્ર નજીવી તકરાર અને સામાન્ય ગુસ્સો કયા હદ સુધી સંબંધોને લઈ જાય તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે.
સમગ્ર મામલે મહીસાગર નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, મહીસાગર સંતરામપુરનાં આંબા ગામે પુત્ર અરવિંદ માલીવાડ જે ખેતીના કામ અર્થે ખેતરમાં કામ કરાવતા હતા અને પિતા રમેશ માલીવાડ વચ્ચે ખેતરમાં ટ્રેક્ટરના ભાડા બાબતે ઉગ્ર બોલાચાલી હતી. આ ખેંચતાણ એ હદે પહોંચી કે ઉશ્કેરાયા પુત્ર અરવિંદ માલીવાડે પોતાના પિતા રમેશ માલીવાડને ક્યાંક લાકડી લઈ મારી દીધી હતી. જોકે તે સમયે આ મુદ્દો શાંત પડી ગયો હતો અને સામાન્ય ઝઘડો કરી બંને પિતા-પુત્ર છૂટાં પડી પોત-પોતાના કામે લાગ્યા હતા. પરંતુ બાદમાં પિતાએ લોહિયાળ ખેલનું કાવતરૂ રચી પુત્રનો જીવ લઇ લીધો હતો.

