સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા તો આવી ઘટનાના પ્રત્યક્ષદર્શી બન્યા હશો. ત્યારે ત્યજી દેવાયેલી એક બાળા માટે સુરત પોલીસ દેવદૂત સમાન બની છે અને તેની છઠ્ઠી વિધિ પૂર્ણ કરી માનવતા મહેકાવી દીધી છે.   

થોડા દિવસ સુરતના દેલાડવા તળાવ પાસે એક માસૂમ બાળકીને ત્યજી દેવાઈ હતી. હવે આ ત્યજી દેવાયેલી માસૂમ બાળકી માટે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'છઠ્ઠી' કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે.

https://www.instagram.com/reel/DTZxB4-jlRj/?utm_source=ig_web_copy_link

લગભગ 6 દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનેતાએ કયા સંજોગોમાં છોડી દીધી? કારણ શું હતું? તે તપાસનો વિષય છે, પરંતુ સુરત પોલીસને જાણ થતા જ ડીંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી.

ડીંડોલી પોલીસ મથકના PI આર.જે. ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી. નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું, તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડાં ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા.

surat police
instagram.com/yugabhiyaantimes

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં ત્યજી દેવાયેલા બાળકોને રિમાન્ડ હોમ મોકલી દેવાતા હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી. બાળકી આજે જ્યારે 6 દિવસની થઈ, ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની છઠ્ઠી વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. નામકરણની વિધિમાં DCP, ACP સહિત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રહ્યા હાજર રહ્યો હતો અને ખૂબ જ ભવ્ય રીતે ડેકોરેશન કરી સુરત પોલીસે કરી હસ્તીની નામકરણ વિધિ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ પોલીસની ફરજ છે. એક તરફ પોલીસ 'હસ્તી'ની સારસંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રઝળતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે. CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. 'હસ્તી' નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે. સુરત પોલીસ માત્ર નામ પાડીને અટકી નથી, પરંતુ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આયોજન કર્યું છે. બાળકીનું એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે, જેથી બાળકી મોટી થાય ત્યારે તેની પાસે ભવિષ્ય માટે ભંડોળ હોય

surat police
instagram.com/connectgujarat

એક તરફ લોહીના સંબંધોએ બાળકીને તરછોડી દીધી છે, તો બીજી ખાખી વર્દીધારીઓએ માનવતાના સંબંધે તેને અપનાવી લીધી છે. સુરત પોલીસની આ કામગીરીની આજે સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રશંસા થઈ રહી છે. હાલ પોલીસ દ્વારા બાળકીની સગી માતાની શોધખોળ પણ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 2022માં રામ નવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સેશન્સ કોર્ટે 27 જુલાઈ, 2026ના...
National 
સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?

હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ

તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મુશળધાર વરસાદ ખાબકવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ભારે તારાજી સર્જાઇ હતી હાલ...
Gujarat 
હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ

કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા કૌભાંડ મામલે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સામેનો કેસ બંધ કરવાના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (...
National 
કોલસા કૌભાંડ કેસમાં સ્વ.પૂર્વ PM મનમોહન સિંહ સામેનો કેસ બંધ થયો, સુપ્રીમ કોર્ટે આપી ક્લીન ચીટ

RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સંગઠનાત્મક પુનર્ગઠનમાં મોટો ફેરફાર કરતા જગદીશ આફલે ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરી છે. તેમની...
National 
RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.