સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા તો આવી ઘટનાના પ્રત્યક્ષદર્શી બન્યા હશો. ત્યારે ત્યજી દેવાયેલી એક બાળા માટે સુરત પોલીસ દેવદૂત સમાન બની છે અને તેની છઠ્ઠી વિધિ પૂર્ણ કરી માનવતા મહેકાવી દીધી છે.   

થોડા દિવસ સુરતના દેલાડવા તળાવ પાસે એક માસૂમ બાળકીને ત્યજી દેવાઈ હતી. હવે આ ત્યજી દેવાયેલી માસૂમ બાળકી માટે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'છઠ્ઠી' કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે.

https://www.instagram.com/reel/DTZxB4-jlRj/?utm_source=ig_web_copy_link

લગભગ 6 દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનેતાએ કયા સંજોગોમાં છોડી દીધી? કારણ શું હતું? તે તપાસનો વિષય છે, પરંતુ સુરત પોલીસને જાણ થતા જ ડીંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી.

ડીંડોલી પોલીસ મથકના PI આર.જે. ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી. નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું, તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડાં ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા.

surat police
instagram.com/yugabhiyaantimes

સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં ત્યજી દેવાયેલા બાળકોને રિમાન્ડ હોમ મોકલી દેવાતા હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી. બાળકી આજે જ્યારે 6 દિવસની થઈ, ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની છઠ્ઠી વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. નામકરણની વિધિમાં DCP, ACP સહિત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રહ્યા હાજર રહ્યો હતો અને ખૂબ જ ભવ્ય રીતે ડેકોરેશન કરી સુરત પોલીસે કરી હસ્તીની નામકરણ વિધિ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પણ પોલીસની ફરજ છે. એક તરફ પોલીસ 'હસ્તી'ની સારસંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રઝળતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે. CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. 'હસ્તી' નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે. સુરત પોલીસ માત્ર નામ પાડીને અટકી નથી, પરંતુ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આયોજન કર્યું છે. બાળકીનું એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે, જેથી બાળકી મોટી થાય ત્યારે તેની પાસે ભવિષ્ય માટે ભંડોળ હોય

surat police
instagram.com/connectgujarat

એક તરફ લોહીના સંબંધોએ બાળકીને તરછોડી દીધી છે, તો બીજી ખાખી વર્દીધારીઓએ માનવતાના સંબંધે તેને અપનાવી લીધી છે. સુરત પોલીસની આ કામગીરીની આજે સમગ્ર રાજ્ય અને દેશમાં પ્રશંસા થઈ રહી છે. હાલ પોલીસ દ્વારા બાળકીની સગી માતાની શોધખોળ પણ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.