લોકાર્પણ પહેલા જ તાપીમાં મીંઢોળા નદી પરનો પુલ તૂટી પડ્યો, તપાસના આદેશ

ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી થયો છે. બુધવારે પુલ તૂટી પડવાથી લગભગ 15 ગામોને અસર થશે. પુલ ધરાશાયી થતાં વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના કામને લઈને પણ લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે, એટલું જ નહીં પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાનો પણ ગણગણાટ શરૂ થયો છે. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

15 ગામો અસરગ્રસ્ત હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની તે સમયે ત્યાં કોઈ નહોતું, જેના કારણે જાનહાનિની કોઈ માહિતી નથી.

આ ઘટના અંગે એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીરવ રાઠોડે જણાવ્યું કે, બ્રિજનું નિર્માણ કાર્ય 2021માં શરૂ થયું હતું. જેના પર 2 કરોડનો ખર્ચ થયો હતો. નિષ્ણાંતોની તપાસ કરાવ્યા બાદ પુલ તૂટી પડવાનું કારણ જાણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા જ પુલ તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ પુલ વ્યારા તાલુકાના માયપુર અને દેગામા ગામોને જોડતા રોડ પર મીંઢોળા નદી પર બનેલો પુલ હતો, જેના કારણે એક ડઝનથી પણ વધુ ગામોને અસર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુલ પડવા પાછળ મોટા ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટનાએ ગયા વર્ષે મોરબીમાં બનેલી બ્રિજ દુર્ઘટનાની યાદ અપાવી છે, જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે ઘટના પછી, સરકારે પુલના બાંધકામ અને જાળવણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લીધાં હતા. જો કે, તાપી જિલ્લામાં પુલના તૂટી જવાની તાજેતરની ઘટના સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કરે છે અને માળખાકીય પ્રોજેક્ટ્સમાં કડક દેખરેખ અને જવાબદારીની જરૂરિયાતને ખુલ્લી પાડી છે.

અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા બિહારના ભાગલપુરમાં પણ પુલ તૂટી જવાની ઘટના સામે આવી હતી. ગંગા નદી પર બનેલો આ પુલ 1,717 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને આ કોઈ પહેલી ઘટના નથી પરંતુ આ પુલ બે વાર પડી ગયો છે.

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, બિહારમાં આ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. બિહારમાં પણ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વર્ષ 2014માં બિહારના CM નીતિશ કુમારે આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ અકસ્માત બાદ બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શું છે ભારતનું 'સર્વમ AI'? ગૂગલના CEO પિચાઈ પણ પ્રભાવિત થયા; ChatGPT અને Geminiને આપી રહ્યું છે ટક્કર!

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં, ભારતનું સર્વમ AI લાઈમલાઇટ મેળવી છે. આ એક બેંગલુરુના સ્ટાર્ટઅપનું ઇનોવેશન છે, જેણે ગૂગલના ...
Tech and Auto 
શું છે ભારતનું 'સર્વમ AI'? ગૂગલના CEO પિચાઈ પણ પ્રભાવિત થયા;  ChatGPT અને Geminiને આપી રહ્યું છે ટક્કર!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 21-02-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

છેલ્લા એક-બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો મિજાજ કંઈક અલગ રહ્યો છે. અગાઉ જ્યારે સીઝન મુજબ હવામાન બદલાતું હતું,...
Gujarat 
ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો

Realmeએ શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) ભારતમાં તેનો નવીનતમ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો. Realme P4 Lite 4G ...
Tech and Auto 
સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.