રાત્રિના અંધારામાં કાર તળાવમાં પડી, ગાંધીનગરમાં ચારના મોત,પીકનીકથી પાછા ફરતા હતા

ગુજરાતના સુરેન્દ્ર નગર જિલ્લાના દસાડા ખાતે એક મોટો માર્ગ અકસ્માત થયા પછી ગાંધીનગરમાં એક કાર તળાવમાં પડી ગઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં ચાર યુવકોના મોતની સાબિતી આપી છે, જ્યારે અન્ય યુવકના મૃતદેહની શોધખોળ હજુ ચાલુ છે. અહીં તમને બતાવી દઈએ કે, એક દિવસ અગાઉ જ સુરેન્દ્ર નગરમાં અંતિમયાત્રામાં જઈ રહેલા ચાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.

ગુજરાતના સુરેન્દ્ર નગરમાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોતની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે ગાંધીનગરમાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં એક કાર તળાવમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત 18 સપ્ટેમ્બરના રોજ થયો હતો, તેમને શંકા છે કે કાર ચાલકને અંધારું અને પાણી ભરાયેલા હોવાને કારણે રસ્તા વિષે ગેરસમજ થઇ હશે. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો હાજર હતા. ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક કાર ચાલક હજુ પણ ગુમ છે. જેની શોધખોળ હજુ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, કાર રાજસ્થાનથી પરત ફરી રહી હતી ત્યારે દશેલા ગામ પાસેના તળાવમાં પડી ગઈ હતી અને તેમાં બેઠેલા લોકો ડૂબી ગયા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાર ચાલકને રાત્રિ દરમિયાન રસ્તાની સ્થિતિની ગેરસમજ થઇ હોઈ શકે છે અને અજાણતામાં વાહનને તળાવની તરફ ચલાવી દીધી હશે. અધિકારીએ કહ્યું, કારણ કે સતત  વરસાદને કારણે બાજુનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો. આ પાંચેયની ઉંમર 20 વર્ષની આસપાસ છે. એ બધા ગાઢ મિત્રો હતા. 18મી સપ્ટેમ્બરની રાત્રે તેઓ રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની ગઈ હતી. તેઓ અમદાવાદના નરોડા વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, જેમાંથી ચાર નરોડાના રહેવાસી હતા અને એક ગૌરાંગ ભટ્ટ દશેલા ગામનો રહેવાસી હતો. આ ગ્રૂપ થોડા દિવસો પહેલા કારમાં રાજસ્થાનની તરફ રજાઓ માણવા નીકળ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ પાસેના તળાવમાંથી ચારેય લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ગુમ થયેલા કાર સવારને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ અગાઉ એટલે કે, બુધવારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી ઝૈનાબાદને જોડતા સ્ટેટ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા. દસાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ચારેય પીડિતો, મોરબી જિલ્લાના રહેવાસીઓ, નજીકના અમદાવાદ જિલ્લાના કુકવાવ ગામમાં એક પરિચિતના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. સવારે લગભગ 8 વાગ્યે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.