દલિત છોકરાએ ક્રિકેટ બૉલ ઉઠાવ્યો તો, તેના કાકાનો અંગુઠો કાપી નાખ્યો

પાટણ જિલ્લામાં એક રૂવાટા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. શાળા પરિસરમાં રમતના મેદાનમાં ક્રિકેટ મેચ દરમિયાન એક દલિત છોકરાએ બૉલના સ્પર્શ કરવાને લઈને વિવાદ ઉત્પન્ન થઈ ગયો. ત્યારબાદ આ ઝઘડો એ હદ સુધી વધી ગયો કે, આરોપીઓએ દલિત છોકરાના કાકાનો અંગુઠો જ કાપી નાખ્યો. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી લીધી છે. આ ઘટના રવિવારે પાટણ જિલ્લાના કાકોશી ગામમાં થઈ. ફરિયાદ મુજબ, આરોપીએ ગુસ્સામાં એ છોકરાને ધમકી આપી, જેણે ગામની એક શાળાના રમતના મેદાનમાં બૉલ પકડ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓએ દલિત સમુદાયના સભ્યોનું અપમાન કરવા અને તેમને ધમકાવવાના ઇરાદે કથિત રીતે જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી. હવે છોકરાના કાકા ધીરજ પરમારે તેના પર આપત્તિ દર્શાવી તો થોડા સમય સુધી મામલો શાંત રહ્યો. ત્યારબાદ સાંજે ધારદાર હથિયારોથી લેસ 7 લોકોના એક જૂથે ફરિયાદકર્તા ધીરજ અને તેના ભાઈ કીર્તિ પર હુમલો કરી દીધો. તેમણે કહ્યું કે, એક આરોપીએ કીર્તિનો અંગુઠો કાપી દીધો અને તેને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત કરી દીધો.

અધિકારીએ આગળ કહ્યું કે, IPCની કલમ 326 (ખતરનાક હથિયારોથી જાણીજોઇને ગંભીર ઇજા પહોંચાડવી) 506 (ગુનાહિત ધમકી) અને SC/ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. આરોપીઓને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમદાવાદમાં કિર્તી વણકરની સારવાર થઈ રહી છે. જિગ્નેશ મેવાણીએ તેની મુલાકાત કરી હતી. આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ આ બાબતે નિવેદન આપતા કહ્યુ હતું કે, ક્રિકેટ રમવાની બાબતે 40થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. છતા પણ 24 કલાકમાં માત્ર 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, 48 કલાકમાં આરોપીઓની ધરપકડ નહી થાય તો પાટણ બંધની જાહેરાત પણ કરવામા આવી શકે છે. આમ સખત કાર્યવાહીની માગ ઉઠાવી હતી. આરોપીઓની ઓળખ કુલદિપ સિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ, રાજદીપ, જસવંત સિંહ રાજપુત, ચકુભા લક્ષ્મણજી, મહેન્દ્ર સિંહના રૂપમાં થઈ છે. કુલ સાત આરોપીઓ છે, જેમાં એક આરોપીના નામની જાણકારી મળી શકી નથી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.