કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પહેલા પત્નીને ગોળી ધરબી દીધી અને પછી પોતે પણ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ NRI ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નના માત્ર 2 જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી ધરબી દીધી હતી, જેના કારણે તેનો જીવ જતો રહ્યો અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. યશરાજસિંહ કોંગ્રેસનાં નેતાનો સગો ભત્રીજો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડીવારમાં શકિતસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અસારવા સિવિલ પહોંચશે.

Yuvraj-Gohil1
divyabhaskar.co.in

મળતી મહિતી મુજબ, મૂળ ભાવનગરનો યશરાજ ગોહિલ તેની પત્ની રાજેશ્વરી ગોહિલ સાથે NRI ટાવરમાં રહેતો હતો. ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલી બંદૂક વડે પત્નીને ગોળી ધરબી દીધી હતી. ગોળી વાગતા જ રાજેશ્વરી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડી હતી.

પત્નીને જમીન પર ઢળેલી જોઈ ગભરાયેલા યશરાજે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ડૉક્ટરોએ તપાસ રાજેશ્વરીને મૃત જાહેર કરી દીધી હતી. 108નો સ્ટાફ ઘરની બહાર નિકળતા જ યશરાજે પણ પોતાના માથે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયું હતું, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ ઘટના બની હતી. ઘટના સામે આવતા જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા.

gold-silver1
bbc.com

આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા ઝોન-1 DCP, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ ઝઘડાનું કારણ અકબંધ છે, વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ માહિતી બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવરાજ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા ક્લાસ-2માંથી વર્ગ-1 અધિકારી બન્યો હતો.

About The Author

Related Posts

Top News

હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે

હોન્ડાએ ભારતમાં અનેક નવા ઉત્પાદનો સાથે ADV160 સ્કૂટરનું અનાવરણ કર્યું છે. આ કંપનીનું ભારતમાં પહેલું મેક્સી-સ્કૂટર છે, જેમાં એડવેન્ચર...
Tech and Auto 
હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-07-2026 દિવસ: સોમવાર મેષ: પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણાભીડ દૂર થાય. વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થતો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.