ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં ખામી, એક્સ્પાન્શન જોઈન્ટ ખુલતા સલામતી મુદ્દે વિવાદ

શહેરમાં એક પછી એક બ્રિજને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ અને સુભાષ બ્રિજ બાદ હવે આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ પણ ચર્ચામાં આવ્યો છે. ઇન્કમટેક્સ બ્રિજના ફિંગર ટાઇપ એક્સ્પાન્શન જોઈન્ટમાં ખામી સામે આવી હતી, જેમાં જોઈન્ટમાં વપરાયેલી લોખંડની પ્લેટના બોલ્ટ બહાર નીકળી ગયા હતા. આ કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટે જોખમની સ્થિતિ ઊભી થઈ હતી. મામલો એએમસીના ધ્યાન પર આવતા જ તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બ્રિજ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ખામી ફક્ત ફિંગર ટાઇપ એક્સ્પાન્શન જોઈન્ટ સુધી મર્યાદિત છે. બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ ખામી નથી. નિરીક્ષણ દરમિયાન જોવા મળ્યું હતું કે એક્સ્પાન્શન જોઈન્ટના બોલ્ટ લૂઝ થવાથી જોઈન્ટ ખુલ્લું પડી ગયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ખામીના કારણે ફ્લાયઓવર બ્રિજની કુલ સલામતી અથવા માળખાગત મજબૂતી પર કોઈ અસર થતી નથી.

ફિંગર ટાઇપ એક્સ્પાન્શન જોઈન્ટના રિપેરિંગ માટે લૂઝ થયેલા બોલ્ટની બદલી કરવામાં આવી હતી અને એપોક્સી તથા માઇક્રો કોંક્રીટનો ઉપયોગ કરીને જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજ હજુ પણ બ્રિજ નિર્માતા કંપની રણજીત બિલ્ડકોન લિમિટેડની ગેરંટી પિરિયડ હેઠળ હોવાથી સમગ્ર રિપેર કામગીરી કંપની દ્વારા પોતાની જવાબદારી હેઠળ અને પોતાના ખર્ચે કરવામાં આવી હોવાનું પણ એએમસીએ જણાવ્યું હતું.

બીજી તરફ, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ બ્રિજના ઇન્સ્પેક્શન માટે એએમસીએ બે ખાનગી કંપનીઓને કુલ 99 બ્રિજની તપાસનું કામ સોંપ્યું હતું. જેમાં ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજના ઇન્સ્પેક્શનની જવાબદારી જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રા. લિ. ને આપવામાં આવી હતી. અંદાજિત રૂ. 59.59 કરોડ સામે રૂ. 65.51 કરોડના ખર્ચે બનેલા, પાંચ વર્ષ જૂના આ બ્રિજનું ઇન્સ્પેક્શન રિપોર્ટ 9 જુલાઈ 2025ના રોજ આપવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં બ્રિજની સ્થિતિ ‘ઓવર ઓલ ગુડ’ એટલે કે ખૂબ સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ માત્ર પાંચ મહિનામાં જ એક્સ્પાન્શન જોઈન્ટ ખુલી જવું ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બ્રિજની સ્થિતિ સારી હતી તો આ ખામી અચાનક કેવી રીતે ઊભી થઈ? શું ઇન્સ્પેક્શન દરમિયાન એક્સ્પાન્શન જોઈન્ટની તપાસ કરવામાં આવી નહોતી?

શહેજાદ ખાન પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, યોગ્ય અને ઝીણવટભર્યા ઇન્સ્પેક્શન વિના અપાયેલો આ રિપોર્ટ અવાસ્તવિક અને પ્રજાને ગેરમાર્ગે દોરનારો જણાય છે. પ્રજાની સલામતી સાથે સીધો સંબંધ ધરાવતા આ મહત્વના કાર્યમાં બેદરકારી રાખવામાં આવી હોવાનો આરોપ લગાવી તેમણે જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રા. લિ. ને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી છે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.