દેવાયત ખવડે લગ્ન અને ડાયરામાં જવા જામીન માગેલા, જાણો કોર્ટેનો નિર્ણય

દેવાયત ખવડના જામીન ફરી એકવાર ના મંજૂર થતા લોકસાહિત્ય કારને શિવરાત્રિ જેલમાં જ કરવી પડશે. અગાઉ હાઈકોર્ટમાં જામીન કરાયા બાદ આ વખતે સેશન્સ કોર્ટમાં જામીન કરાયા હતા. જે ના મંજૂર કરાયા છે.

હુમલાના કેસમાં સંડોવાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરવામાં આવી હતી. કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી. દેવાયત ખાવડના વકીલે સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી શિવરાત્રિમાં સ્ટેજ પ્રોગ્રામમાં જવાનું કારણ દર્શાવી કરી હતી પરંતુ આ જામીન અરજી મંજૂર થઈ શકી નહોતી. હાઈકોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ જામીન ફગાવી દેતા દેવાયતની મુશ્કેલી ફરી વધી છે.

દેવાયત ખવડે મયુરસિંહ પર હુમલાના કેસમાં ઉહાપોહ થતા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખાવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં ત્રણેય આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે અને 62થી વધુ દિવસ જેટલો સમયગાળો જેલમાં થઈ ગયો છે ત્યારે વચગાળાના જામીન પણ ફગાવી દેવામાં આવતા દેવાયતને જેલમાં વધુ સમય રહેવું પડશે. ચાર્જસીટ ફાઈલ કરાયા બાદ હવે દેવાયત ખવડ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરે તેવી શક્યતાઓ છે.

રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા નામના યુવક પર ગત 7 ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો. આ ઝઘડો જૂની અદાવતમાં થયો હતો. દેવાયત ખવડ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા.

About The Author

Related Posts

Top News

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.