ગુજરાત ચૂંટણીમાં હારેલા ભાજપ અને કોંગ્રેસના 4 ઉમેદવારોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા

ગુજરાત વિધાનસભા 2022ના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થયા હતા અને ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી, એ પછી સરકાર પણ બનાવી દીધી અને આજે લગભગ પોણા બે મહિના પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપના 2 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો સહિત 4 ઉમેદવારોએ ચૂંટણીના પરિણામોને પડકારવા માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને પડકરાતી અરજી ભાજપના હર્ષદ રિબડીયા, હિતેશ વસાવા અને કોંગ્રેસના લલિત કગથરા અને રઘુ દેસાઇએ હાઇકોર્ટમાં કરી છે. આ ચારેય હારેલા ઉમેવાદરોએ ચૂંટણી પરિણામોને પડકારવા માટે કોર્ટનું શરણું લીધું છે.

લલિત કગથરા, રઘુ દેસાઇ, કોંગ્રેસ

અરજી કરનારા હારેલા ઉમેદવારોનો આરોપ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો જીત્યા હતા તેમના ફોર્મમાં ભૂલો હોવા છતા પણ રિટર્નીંગ ઓફીસરે તેમના ફોર્મ સ્વીકારી લીધા હતા. આ અરજીમાં અરજી કરનારા ઉમેદવારોએ રિટર્નીંગ ઓફીસર સહિત ચૂંટણી પંચને પક્ષકાર બનાવવાની માંગ કરી છે.

હર્ષદ રિબડીયા- હિતેશ વસાવા, ભાજપ

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કથગરા ટંકારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, તો કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ રાધનપુરથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ભાજપના હર્ષદ રિબડીયા વિસાવદરથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ પણ હારી ગયા હતા. ભાજપના ઉમેદવાર હિતેશ વસાવાએ ડેડીયાપાડાથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા.

હર્ષદ રિબડીયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા તરીકે જાણીતા હતા. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકીટ તો આપી હતી, પરંતુ રીબડીયા ચૂંટણી હારી ગયા હતા.

હિતેશ વસાવા BTP સાથે છેડો ફાડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે ભાજપે હિતેશ વસાવાને ટિકીટ આપી હતી ત્યારે ભારે હોબાળો થયો હતો.

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પોતાની હાર માટે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને રાધનપુરનાસ્થાનિક આગેવાનોને જવાબદાર ગણાવ્યા હતા.

182 સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા માટે ડિસેમ્બર 2022માં ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવીને બધા સમીકરણોનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ગુજરાતના ઇતિહાસમાં ભાજપે મેળવેલી આ સૌથી વધુ બેઠકો હતો. તો કોંગ્રેસે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને 3 દાયકાની સૌથી ઓછી બેઠકો મેળવી હતી. કોંગ્રેસે માત્ર 17 બેઠકો મેળવી હતી. ગુજરાતમાં ત્રીજા મોર્ચા તરીકે દાખલ થયેલી આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં 5 બેઠકો મેળવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.