જે વ્યક્તિ કૌભાંડનો પર્દાફાશ કરવાની વાત કરે છે તે હવે પાંજરામાં છે: સીઆર પાટીલ

ભાવનગર ડમીની ઘટનાને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. હવે BJPના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું કે, જે વ્યક્તિ કૌભાંડનો પર્દાફાશ કરવાની વાત કરે છે તે વ્યક્તિ હવે પાંજરામાં છે અને તે પોતે પણ અનેક કૌભાંડમાં સંડોવાયેલો છે. તેણે ઘણા નિર્દોષ લોકોને ત્રાસ આપ્યો છે અને દોષિતો પાસેથી પૈસા પડાવી લીધા છે. AAP સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતાનું નામ લીધા વિના પાટીલે કહ્યું કે, મને આશા છે કે તપાસમાં બીજા ઘણા નામો પણ સામે આવશે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરશે અને કયા કેસમાં તેની કેટલીક સંડોવણી છે તે શોધી કાઢશે.

ભાવનગર ડમી કાંડની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, જે વ્યક્તિ ડમી કૌભાંડ ખોલવાનું કહી રહ્યો હતો. તે પાંજરામાં છે (ધરપકડ હેઠળ). પાટીલે કહ્યું કે, પોલીસની તપાસમાં સત્ય બહાર આવી રહ્યું છે. પાટીલે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમારના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજકીય લોકો માટે આરોપ લગાવવા સરળ છે, પરંતુ તપાસમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી. આ ડમી કેસની તપાસ કરી રહેલા ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મળેલા 1 કરોડ રૂપિયાના પુરાવા એકત્ર કર્યાનો દાવો કર્યો છે. આ માટે SOGએ CCTV ફૂટેજ, CDR અને વોટ્સએપ ચેટ કબજે કર્યા છે.

વિદ્યાર્થી નેતા અને AAPના યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતની સરકારી પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોનો ઉપયોગ કરવાના મામલાને ઉજાગર કર્યો હતો. ત્યાર પછી જાડેજાના નજીકના સાથી વિપિન ત્રિવેદીએ પૈસા લઈને કેટલાક ડમી ઉમેદવારોના નામ છુપાવ્યા હોવાનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી હતી. આરોપ છે કે વિદ્યાર્થી નેતાએ ડમી કાંડ અંગે કેટલીક માહિતી રાખી હતી અને કેટલીક છુપાવી હતી, જેના બદલામાં તેણે એક કરોડ રૂપિયા લીધા છે. પોલીસ હવે ડમી કેસની સાથે આ આરોપોની પણ તપાસ કરી રહી છે. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લીધા છે. કોર્ટે ભાવનગર SOGને સાત દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે. તો જ્યારે આ વિદ્યાર્થીનેતાએ ભાવનગર SOG સમક્ષ હાજર થવા પહેલા સામે આવ્યા હતા, અને પોતાને ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ પોલીસનો એવો દાવો છે કે, તેમને તેના વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.