ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની પત્નીના વકીલ બન્યા, કોર્ટમાં ધારદાર દલીલ, રિમાન્ડ..

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક નવી ભૂમિકામાં જોવા મળ્યા છે. તાજેતરમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની વન વિભાગને અધિકારીને ધમકાવાવ અને પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ થઇ તો ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે તેમની મદદે આવ્યા છે અને કોર્ટમાં એવી દલીલો રજૂ કરી કે પોલીસને એક દિવસના રિમાન્ડ પણ મળ્યા નહીં.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ફરી ચર્ચામાં છે. ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના કેસમાં ઇટાલિયા વકીલ તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહ્યા હતા. ગોપાલ ઇટિલાયાએ કોર્ટમાં એવી ધારદાર દલીલો રજૂ કરી કે ડેડિયાપાડા પોલીસને ચૈતર વસાવાની પત્નીના રિમાન્ડ મળી શક્યા નહીં.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)નો સૌથી મોટો ચહેરો ગણાતા ગોપાલ ઈટાલિયા ફરી ચર્ચામાં છે. રાજ્યના નર્મદા જિલ્લામાં જ્યારે પોલીસે ચૈતર વસાવા સામે કડક કાર્યવાહી કરી ત્યારે ઇટાલિયા વકીલ તરીકે ચૈતર વસાવાને મદદ કરવા આવ્યા હતા. ગોપાલ, એલએલબીની ડીગ્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે તાજેતરમા જ રજિસ્ટર્ડ થયા છે. ઇટાલિયા હવે વકીલ તરીકેની નવી ભૂમિકામાં જોવા મળ્યા છે.

પોલીસે જ્યારે ચૈતર વસાવાની પત્ની શંકુતલાબેન અને પીએ જીતુભાઇને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.પરંતુ ગોપાલ ઇટાલિયાની દલીલોને કારણે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દીધા હતા અને બંનેન જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસે ચૈતર વસાવા સહિત આઠ લોકો સામે ફાયરિંગ, વન વિભાગના અધિકારીઓને ધમકાવવા અને પૈસાની માંગણી કરવા બદલ ગુનો નોંધ્યા બાદ પત્ની શંકુલતાની ધરપકડ કરી હતી. કોર્ટમાં રિમાન્ડની સુનાવણી હાથ ધરાઈ ત્યારે ઈટાલિયાની દલીલો જબરજસ્ત સાબિત થઈ હતી. જેના કારણે શંકુતલા વસાવાના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે દલીલ કરી કે કોલ ડિટેઈલ મેળવવી પડશે ત્યારે ઈટાલિયાએ કોર્ટને કહ્યું કે આ માટે રિમાન્ડની જરૂર નથી.

આ સિવાય ઇટાલિયાના વળતા જવાબ સામે પોલીસની દલીલો નબળી પડી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે ચૈતર વસાવાના પત્ની ઘટનાસ્થળે હતા. ઇટાલિયાએ કહ્યું કે, આમા કોઇ નવી વાત નથી.આ સિવાય ઇટાલિયાએ હથિયાર અને પૈસાની લેવડ-દેવડને જોડવા દીધી નહોતી. આ પછી કોર્ટે પોલીસ દ્વારા માંગવામાં આવેલ 10 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

ચૈતર વસાવા, જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ડેડિયાપાડાથી જીત્યા છે, તેમની બે પત્નીઓ છે. પહેલી પત્નીનું નામ વર્ષા અને બીજી પત્નીનું નામ શંકુલતા. ચૈતર વસાવા તેમની બંને પત્નીઓ સાથે રહે છે. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા ચૈત્રા વસાવા BTPમાં હતા. શકુંતલા થોડા સમય માટે ડેડિયાપાડામાં જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને આદિવાસી મહિલાઓના સમર્થનમાં પ્રદર્શન કરવા બદલ તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. ચૈતર વસાવાને તેમની બંને પત્નીઓથી ત્રણ બાળકો છે.

About The Author

Top News

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

મધ્યપ્રદેશના ઇન્દોરમાં, ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્કિંગ થવાથી આગ લાગી. આખા ઘરમાં ભીષણ આગ ફેલાઈ ગઈ, જેમાં 7...
Tech and Auto 
ઈન્દોરમાં ઈલેક્ટ્રિક કાર ચાર્જરે 8 લોકોનો જીવ લઈ લીધો, તમે EV ચાર્જ કરતી વખતે આ બાબતો ક્યારેય ભૂલશો નહીં

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.