ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની પત્નીના વકીલ બન્યા, કોર્ટમાં ધારદાર દલીલ, રિમાન્ડ..

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક નવી ભૂમિકામાં જોવા મળ્યા છે. તાજેતરમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની વન વિભાગને અધિકારીને ધમકાવાવ અને પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ થઇ તો ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે તેમની મદદે આવ્યા છે અને કોર્ટમાં એવી દલીલો રજૂ કરી કે પોલીસને એક દિવસના રિમાન્ડ પણ મળ્યા નહીં.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ફરી ચર્ચામાં છે. ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના કેસમાં ઇટાલિયા વકીલ તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહ્યા હતા. ગોપાલ ઇટિલાયાએ કોર્ટમાં એવી ધારદાર દલીલો રજૂ કરી કે ડેડિયાપાડા પોલીસને ચૈતર વસાવાની પત્નીના રિમાન્ડ મળી શક્યા નહીં.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)નો સૌથી મોટો ચહેરો ગણાતા ગોપાલ ઈટાલિયા ફરી ચર્ચામાં છે. રાજ્યના નર્મદા જિલ્લામાં જ્યારે પોલીસે ચૈતર વસાવા સામે કડક કાર્યવાહી કરી ત્યારે ઇટાલિયા વકીલ તરીકે ચૈતર વસાવાને મદદ કરવા આવ્યા હતા. ગોપાલ, એલએલબીની ડીગ્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે તાજેતરમા જ રજિસ્ટર્ડ થયા છે. ઇટાલિયા હવે વકીલ તરીકેની નવી ભૂમિકામાં જોવા મળ્યા છે.

પોલીસે જ્યારે ચૈતર વસાવાની પત્ની શંકુતલાબેન અને પીએ જીતુભાઇને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.પરંતુ ગોપાલ ઇટાલિયાની દલીલોને કારણે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દીધા હતા અને બંનેન જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસે ચૈતર વસાવા સહિત આઠ લોકો સામે ફાયરિંગ, વન વિભાગના અધિકારીઓને ધમકાવવા અને પૈસાની માંગણી કરવા બદલ ગુનો નોંધ્યા બાદ પત્ની શંકુલતાની ધરપકડ કરી હતી. કોર્ટમાં રિમાન્ડની સુનાવણી હાથ ધરાઈ ત્યારે ઈટાલિયાની દલીલો જબરજસ્ત સાબિત થઈ હતી. જેના કારણે શંકુતલા વસાવાના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે દલીલ કરી કે કોલ ડિટેઈલ મેળવવી પડશે ત્યારે ઈટાલિયાએ કોર્ટને કહ્યું કે આ માટે રિમાન્ડની જરૂર નથી.

આ સિવાય ઇટાલિયાના વળતા જવાબ સામે પોલીસની દલીલો નબળી પડી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે ચૈતર વસાવાના પત્ની ઘટનાસ્થળે હતા. ઇટાલિયાએ કહ્યું કે, આમા કોઇ નવી વાત નથી.આ સિવાય ઇટાલિયાએ હથિયાર અને પૈસાની લેવડ-દેવડને જોડવા દીધી નહોતી. આ પછી કોર્ટે પોલીસ દ્વારા માંગવામાં આવેલ 10 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

ચૈતર વસાવા, જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ડેડિયાપાડાથી જીત્યા છે, તેમની બે પત્નીઓ છે. પહેલી પત્નીનું નામ વર્ષા અને બીજી પત્નીનું નામ શંકુલતા. ચૈતર વસાવા તેમની બંને પત્નીઓ સાથે રહે છે. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા ચૈત્રા વસાવા BTPમાં હતા. શકુંતલા થોડા સમય માટે ડેડિયાપાડામાં જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને આદિવાસી મહિલાઓના સમર્થનમાં પ્રદર્શન કરવા બદલ તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. ચૈતર વસાવાને તેમની બંને પત્નીઓથી ત્રણ બાળકો છે.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.