પાટીદારોના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાને પગે પડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી (AAP) ખૂબ અપેક્ષાઓ સાથે મેદાનમાં ઉતરી હતી. આ પહેલી વખત હતું જ્યારે આમ આદમી પાર્ટી તમામ સીટો પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીનું કંઈ ખાસ પ્રદર્શન ન રહ્યું. પહેલી જ ચૂંટણીમાં AAPના 5 ઉમેદવારો ચૂંટાઈને ધારાસભ્ય બન્યા, ત્યારથી લગભગ AAP બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું હતું કેમ કે AAPના મોટા ચહેરા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી તેમની સીટ હારી ગયા હતા. પાછળથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

Gopal1
amarujala.com

ત્યારબાદ હાલમાં જ વિસાવદર અને કઢી સીટ પર થયેલી પેટાચૂંટણીમાં ગોપાલે વિસાવદરથી ઉમેદવારી નોંધાવીને જીત હાંસલ કરતા તેમણે ગુજરાતમાં AAP માટે આશાનું નવું કિરણ જગાવ્યું હતું. ગોપાલ ઈટાલિયાએ વિસાવદરનો કિલ્લો જીત્યો ત્યારે સૌથી વધુ ચર્ચા જવાહર ચાવડાની થઈ હતી. કારણ કે પોતાની જીતમાં ગોપાલ ઈટાલિયાએ જય જવાહર ચાવડાની બોલાવી હતી. આવામાં ગોપાલ ઈટાલિયાએ એક કાંકરે 2 પક્ષી માર્યા હોવાની ચર્ચા થઈ હતી.

Gopal
indianexpress.com

ગોપાલ ઈટાલિયા પણ સતત એવું કામ કરતા રહે છે જેના કારણે તેઓ ચર્ચામાં બન્યા રહે છે. હવે તેઓ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે, જેનું કારણ છે સરદારધામના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા ભાજપના નેતા બાબૂ પટેલને પગે લાગતા જોવા મળ્યા હતા. જાહેરમાં ભાજપના નેતાને પગે લાગીને ગોપાલ ઈટાલિયા ફરીથી છવાઈ ગયા. એટલું જ નહીં, કાર્યક્રમમાં તેઓ ભાજપના અન્ય નેતા કિરીટ પટેલ પાસે જઇને બેસી ગયા હતા. આ ઘટનાની રાજનીતિક દુનિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.

About The Author

Related Posts

Top News

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ...
Education 
વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ-9નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે. NCERTએ ધોરણ-9ના...
Education 
ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

ઓલાના સ્કૂટર અને તેમની ખરાબ સર્વિસ વિશે કોઈપણ ટિપ્પણી કરવી સમયનો બગાડ છે, કારણ કે કંપનીના અનેક દાવાઓ છતાં...
Tech and Auto 
રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.