પાટીદારોના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાને પગે પડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી (AAP) ખૂબ અપેક્ષાઓ સાથે મેદાનમાં ઉતરી હતી. આ પહેલી વખત હતું જ્યારે આમ આદમી પાર્ટી તમામ સીટો પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીનું કંઈ ખાસ પ્રદર્શન ન રહ્યું. પહેલી જ ચૂંટણીમાં AAPના 5 ઉમેદવારો ચૂંટાઈને ધારાસભ્ય બન્યા, ત્યારથી લગભગ AAP બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું હતું કેમ કે AAPના મોટા ચહેરા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી તેમની સીટ હારી ગયા હતા. પાછળથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

Gopal1
amarujala.com

ત્યારબાદ હાલમાં જ વિસાવદર અને કઢી સીટ પર થયેલી પેટાચૂંટણીમાં ગોપાલે વિસાવદરથી ઉમેદવારી નોંધાવીને જીત હાંસલ કરતા તેમણે ગુજરાતમાં AAP માટે આશાનું નવું કિરણ જગાવ્યું હતું. ગોપાલ ઈટાલિયાએ વિસાવદરનો કિલ્લો જીત્યો ત્યારે સૌથી વધુ ચર્ચા જવાહર ચાવડાની થઈ હતી. કારણ કે પોતાની જીતમાં ગોપાલ ઈટાલિયાએ જય જવાહર ચાવડાની બોલાવી હતી. આવામાં ગોપાલ ઈટાલિયાએ એક કાંકરે 2 પક્ષી માર્યા હોવાની ચર્ચા થઈ હતી.

Gopal
indianexpress.com

ગોપાલ ઈટાલિયા પણ સતત એવું કામ કરતા રહે છે જેના કારણે તેઓ ચર્ચામાં બન્યા રહે છે. હવે તેઓ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે, જેનું કારણ છે સરદારધામના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા ભાજપના નેતા બાબૂ પટેલને પગે લાગતા જોવા મળ્યા હતા. જાહેરમાં ભાજપના નેતાને પગે લાગીને ગોપાલ ઈટાલિયા ફરીથી છવાઈ ગયા. એટલું જ નહીં, કાર્યક્રમમાં તેઓ ભાજપના અન્ય નેતા કિરીટ પટેલ પાસે જઇને બેસી ગયા હતા. આ ઘટનાની રાજનીતિક દુનિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.